ભાજપથી ત્રાસી ગયેલા 500થી વધુ કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા.
જે લોકો સમાજ માટે કામમાં આવવાની ઉમ્મીદથી ભાજપમાં જોડાયા છે તેઓ હવે ખૂબ જ નિરાશ છે: આપ
જ્યાં જનસેવાની કોઈ આશા જ નથી ત્યાં ભાજપના સમાજસેવી કાર્યકર્તાઓ ખૂબ જ નારાજ છે: આપ
લોકકલ્યાણ માટે ભાજપના કાર્યકર્તાઓને આમ આદમી પાર્ટી જ શ્રેષ્ઠ વિકલ્પ લાગે છે: આપ
ડોર ટુ ડોર ગેરંટી રજીસ્ટ્રેશન કેમ્પેઇનના માધ્યમથી આમ આદમી પાર્ટી લોકોના ઘર સુધી તેમની વિચારધારા પહોંચાડવાનો સફળ પ્રયાસ કરી રહી છે: આપ
અરવિંદ કેજરીવાલજીએ હંમેશા પોતાના પહેલા જનહિતના કાર્યોને જરૂરી સમજ્યા છે: આપ
જે રાજ્યમાં 27 વર્ષથી સરકાર બદલાઈ જ નથી તે રાજ્યમાં પણ અરવિંદ કેજરીવાલજીએ પોતાનું પ્રભુત્વ બનાવ્યું છે: આપ
અમદાવાદ/સુરત/ગુજરાત
આમ આદમી પાર્ટીનું પ્રભુત્વ ગુજરાતમાં દિવસેને દિવસે વધી રહ્યું છે. અરવિંદ કેજરીવાલજી દ્વારા આપેલી ગેરંટીઓ પર ગુજરાતની જનતા વિશ્વાસ કરી રહી છે કેમ કે લોકો જાણે છે કે અરવિંદ કેજરીવાલજી જે કહે છે તે કરીને બતાવે છે. તેમણે દિલ્હીમાં જે વાયદાઓ કર્યા હતા તે પૂરા કર્યા છે અને પંજાબમાં પણ સરકાર બને ફક્ત ચાર મહિના થયા છે છતાંય જનતાને આપેલા વાયદાઓ પુરા કરવાનું કામ જોરો શોરોથી ચાલી રહ્યુ છે. આ બધું જોઈને ફક્ત ગુજરાતની સામાન્ય જનતા જ નહીં પરંતુ બીજી પાર્ટીના ઈમાનદાર લોકો જે જનતાની સાચી સેવા કરવા માંગે છે તેઓ પણ હવે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. ભાજપના કાર્યકર્તાઓ પણ પોતાની જ પાર્ટીના કૃત્યોથી નારાજ છે અને એટલા માટે તેઓને પણ આમ આદમી પાર્ટી જ એક શ્રેષ્ઠ અને યોગ્ય વિકલ્પ લાગી રહી છે. તે માટે આજે ભાજપથી ત્રાસી ગયેલા ભાજપના 500થી વધુ કાર્યકર્તાઓ એક સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.
આમ આદમી પાર્ટી દ્વારા સુરતમાં આયોજિત પ્રવેશ ઉત્સવ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ મંત્રી રાજકુમાર સિંહ, સુરત શહેર પ્રમુખ મહેન્દ્ર નાવડીયા અને નવસારી લોકસભા પ્રમુખ ઈ.કે.પાટીલના હસ્તે 500થી વધુ ભાજપના કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીની ટોપી અને ખેસ પહેરીને આમ આદમી પાર્ટીમાં સામેલ થયા.
27 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે પરંતુ ભાજપ ફક્ત આમ જનતાને જ નહીં પોતાના કાર્યકર્તાઓને પણ ખુશ કરવામાં અસફળ રહી છે. ભાજપના કાર્યકર્તાઓ પોતાની પાર્ટીના કૃત્યોથી જ પરેશાન છે. ભાજપમાં ભ્રષ્ટાચાર એટલો વધી ગયો છે કે ઈમાનદાર લોકોએ તે પાર્ટીમાં શ્વાસ લેવું પણ અઘરું બની ગયું છે. જ્યાં જનસેવાની કોઈ આશા જ નથી ત્યાં ભાજપના સમાજસેવી કાર્યકર્તાઓ ખૂબ જ નારાજ છે. ભાજપ ના તો લોક કલ્યાણના કાર્યો વ્યવસ્થિત રીતે કરે છે કે ના તે પોતાના કાર્યકર્તાઓને સ્વેચ્છાથી કાર્યો કરવા દે છે. ભાજપ પોતાના કાર્યકર્તાઓ વિશે કંઈ વિચારતી નથી અને તેમની પાસે નોકર પૂરતું કામ કરાવે છે. જે લોકો સમાજ માટે કામમાં આવવાની ઉમ્મીદથી ભાજપમાં જોડાયા છે તેઓ હવે ખૂબ જ નિરાશ છે અને એટલા માટે જ એકસામટા ત્રાસી ગયેલા 500થી પણ વધુ ભાજપના કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.
જે રાજ્યમાં 27 વર્ષથી સરકાર બદલાઈ જ નથી તે રાજ્યમાં પણ અરવિંદ કેજરીવાલજીએ પોતાનું પ્રભુત્વ બનાવ્યું છે કેમ કે અરવિંદ કેજરીવાલજીએ હંમેશા પોતાના પહેલા જનહિતના કાર્યોને જરૂરી સમજ્યા છે. અરવિંદ કેજરીવાલજીએ દિલ્હી અને પંજાબમાં જે કામ કરી બતાવ્યા છે તે ગુજરાતમાં પણ શક્ય છે તેના માટે તેમણે ગુજરાતની જનતાને દરેક ક્ષેત્રમાં ગેરંટી ની ભેટ આપી છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ મફતમાં વીજળી, મફતમાં સારું શિક્ષણ અને આરોગ્ય, બેરોજગારોને રોજગાર, વેપારીઓ માટે ભયમુક્ત માહોલ, મહિલાઓને દર મહિને ₹1,000 સન્માન રાશિ, ખેડૂતો, સરપંચ અને આદિવાસી સમાજ માટે વિશિષ્ટ ગેરંટી, ભ્રષ્ટાચાર મુક્ત શાસન એમ લોકતંત્ર જળવાઈ રહે અને જનતાની પોતાની સરકાર બને એવી ભેટ ગેરંટી રૂપે અરવિંદ કેજરીવાલજીએ ગુજરાતની જનતાને આપી છે.
ડોર ટુ ડોર ગેરંટી રજીસ્ટ્રેશન કેમ્પેઇનના માધ્યમથી આમ આદમી પાર્ટી લોકોના ઘર સુધી ‘આપ’ની વિચારધારા પહોંચાડવાનો સફળ પ્રયાસ કરી રહી છે. જેના કારણે લોકો અરવિંદ કેજરીવાલજીની જનતાના મુદ્દાઓનો ઉકેલ લાવવાની રાજનીતિથી પ્રભાવિત થઈ રહ્યા છે તથા દરેક વર્ગ અને સમાજના લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. આવનારી ચૂંટણી ગુજરાતમાં ઐતિહાસિક બદલાવ અવશ્ય લાવશે.