રાજ્ય સરકારે એક પરિપત્ર બહાર પાડીને સરકારી કર્મચારીઓને હવે વોડાફોન આઈડિયાના બદલે Jioના નંબર વાપરવા માટે કર્મચારીઓને જાણ કરવામાં આવી છે.
સરકાર દ્વારા Jio સાથે કરાર કરાયા છે, જે અંતર્ગત હવે રાજ્યના સરકારી કર્મચારીઓ Jioના સિમ વાપરશે. જોકે આ માટે તેઓ મેગા પોર્ટેબિલિટી કરાવશે અને રાજ્યભરના કર્મચારીઓના મોબાઈલ નંબર એના એ જ રહેશે, પરંતુ તેમની કંપની બદલાઈ જશે.
મહત્વનુ છે કે ગુજરાતમાં અત્યારસુધી સરકારી કર્મીઓ વોડાફોન અને આઈડિયાની કંપનીના મોબાઈલ કાર્ડ વાપરતા હતા.
જોકે, હવે સરકારે એક પરિપત્ર બહાર પાડીને હવે વોડાફોન આઈડિયાના બદલે Jioના નંબર વાપરવા માટે કર્મચારીઓને જાણ કરવામાં આવી છે,કર્મચારીઓના મોબાઈલ નંબર એના એ જ રહેશે, પરંતુ તેમની કંપની બદલાઈ જશે.
જેમાં માત્ર રૂ.37.50ના મંથલી રેન્ટલ પર Jioનો સીયુજી પ્લાન લઈ શકશે. સરકારે કર્મચારીઓ માટે Jioનો માસિક 37.50નો પ્લાન લેવા એક પરિપત્ર જાહેર કર્યો છે.
રાજ્ય સરકારે અચાનક એક પરિપત્ર જાહેર કરીને તાત્કાલિક અસરથી કંપનીને બદલવાનો આદેશ આપ્યો છે. જોકે,સરકાર સમયાંતરે મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર પાસેથી બીડ કરે છે. સરકાર દ્વારા Jio સાથે કરાર કરાયા છે, જે મુજબ હવે રાજ્યના સરકારી કર્મચારીઓ Jioના સિમ વાપરશે. જોકે આ માટે તેઓ મેગા પોર્ટેબિલિટી કરાવશે.
આમ,હવે સરકારી કર્મચારીઓ માટે જીઓ સીમ વાપરવા પરિપત્ર જાહેર કરાયો છે.