ભાજપ કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો જંગ બનેલી જસદણની પેટાચૂંટણીમાં જીત મેળવ્યા બાદ CM વિજય રૂપાણીએ મોટી જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે વિંછીયા અને જસદણમાં પાણીના અભાવે પાક સુકાઈ ગયા હોય તેવા હજારો ખેડૂતોને 2 થી 4 દિવસમાં યોગ્ય વળતર આપવામાં આવશે.
CM રુપાણીએ વધુમાં જણાવ્યુ હતુ કે, જસદણે દેશનુ દિશાસૂચન કર્યુ છે. કોંગ્રેસે ખેડૂતોને ખોટા રસ્તે દોર્યા હતા. કોંગ્રેસે ત્રણ રાજ્યોમાં જીત મેળવ્યા બાદ ઘણા મોટા સપનાઓ જોયા હતા. ભાજપે જસદણની પેટાચૂંટણીમાં દરેક સમાજમાંથી વધારે મત મેળવ્યા છે. વેપારીથી લઇને ખેડૂતોએ બધાએ ખોબલે-ખોબલે ભાજપને મત આપ્યા છે.
તેમણે જણાવ્યુ કે, કોંગ્રેસે ભાજપના ધારાસભ્યો તેમના સંપર્કમાં હોવાની પણ જૂઠી વાત ફેલાવી હતી. કોંગ્રેસ હોય ત્યાં વિકાસ ન હોય, ગરીબી હોય, ભૂખમરો હોય, બેકારી હોય તેવા આક્ષેપો CM વિજય રૂપાણીએ કોંગ્રેસ પર લગાવ્યા હતા.
તેમણે ખેડૂતો માટે મહત્વની જાહેરાત કરી હતી જેમાં જણાવ્યુ કે, પાક વીમો ઝડપથી અને પૂરતો મળે એ માટેના પ્રયાસ કરવામાં આવશે. આ સિવાય માલધારીઓને પણ પુરતો ઘાસ મળે એ માટે માટે પણ પ્રયાસ કરવામાં આવશે.