Vijay Rupani Funeral: મૃતદેહ પરિવારને સોંપાયો, રાજકોટ લઈ જવામાં આવ્યો
Vijay Rupani Funeral: અમદાવાદ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અવસાનથી સમગ્ર ગુજરાતમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. તાજેતરમાં તેમના અંતિમ સંસ્કાર અંગે જાણકારી મળી છે કે તેઓનું અંતિમ સંસ્કાર રાજકોટ શહેરમાં રાજ્ય સન્માન સાથે કરવામાં આવશે. તેમના મૃતદેહની ઓળખ ડીએનએ ટેસ્ટ દ્વારા કરવામાં આવી હતી, જે બાદમાં પરિવારને સોંપી દેવાયો છે.
વિજય રૂપાણી તેમના પરિવારને મળવા માટે લંડન જવા ફ્લાઇટમાં હતા, ત્યારે દુર્ઘટનાની પળે તેમનું નિધન થયું. તેમની પત્ની અંજલી રૂપાણી અમદાવાદ આવીને પતિના નિધન બાદ મૃતદેહ સ્વીકાર્યો હતો અને પરિવાર સાથે રાજકોટ ગયા હતા.
સરકારી પ્રોટોકોલ મુજબ, પૂર્વ મુખ્યમંત્રીને ત્રિરંગામાં લપેટી નમન આપવામાં આવશે, તોપની સલામી અને રાજ્ય સ્તરીય અંતિમ વિદાય અપાશે, જેમાં વરિષ્ઠ નેતાઓ હાજર રહેશે.