Visavadar Election 2025: ગોપાલ ઈટાલિયાનો 17,581 મતથી ઐતિહાસિક વિજય
Visavadar Election 2025: વિસાવદર પેટાચૂંટણી 2025માં આમ આદમી પાર્ટી (AAP)ના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાએ ઐતિહાસિક વિજય મેળવી લીધો છે. ઈટાલિયાએ 17,581 મતના વિશાળ અંતરથી જીત મેળવી છે. કુલ 21 રાઉન્ડની મતગણતરીમાં AAPએ 75,906 મત મેળવ્યાં જ્યારે ભાજપ 58,325 મતો પર અટક્યું. કોંગ્રેસ માત્ર 5,491 મત સુધી જ પહોંચી શકી.
ઉત્સાહમાં ખભે બેસાડીને ઉજવણી
વિજય બાદ AAPના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. પાર્ટીના કાર્યકર પ્રવિણ રામે ગોપાલ ઈટાલિયાને ખભે બેસાડી ઉજવણી કરી. વિસાવદરનો માહોલ જશ્નમાં ફેરવાઈ ગયો.
ઈશુદાન ગઢવીનો વિજય પર પ્રતિસાદ
AAPના નેતા ઈશુદાન ગઢવીએ જણાવ્યું કે વિસાવદરની જનતાએ ગુજરાતભરમાં સંદેશ પાઠવ્યો છે કે ભાજપનો વિકલ્પ માત્ર આમ આદમી પાર્ટી જ છે. તેમણે કહ્યુ કે તમામ કાર્યકરોની મહેનતનું પરિણામ એ વિજય છે, જે સામ, દામ, દંડ, ભેદ જેવી તમામ ને પછાડી મેળવ્યો છે.
અરવિંદ કેજરીવાલની રાષ્ટ્રીય રાજકારણમાં વાપસી: અનુરાગ ધાંડા
AAPના નેતા અનુરાગ ધાંડાએ સોશિયલ મીડિયા પર લખ્યું કે વિસાવદરના વિજયે ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસને પરાજય આપીને અરવિંદ કેજરીવાલની રાષ્ટ્રીય રાજકારણમાં વાપસીનો સંકેત આપ્યો છે.
ચૂંટણી પૂર્વે ગોપાલ ઈટાલિયાની ભાવુક અપીલ
ગોપાલ ઈટાલિયાએ મતદાન પહેલાં ભાવુક અપીલ કરતા લખ્યું હતું કે વિજય કે પરાજય તાત્કાલિક સ્થિતિ છે, પરંતુ માનવીય સંબંધો કાયમી હોય છે. તેમણે કાર્યકરો તથા સમર્થકોને અપીલ કરી હતી કે વિજય હોય કે પરાજય, કોઈનું દિલ દુભાય એ રીતે વર્તવું નહિ.
વિસાવદર પેટાચૂંટણી 2025ના મુખ્ય આંકડા
ગોપાલ ઈટાલિયા (AAP): 75,906 મત
ભાજપ: 58,325 મત
કોંગ્રેસ: 5,491 મત
જીતનો અંતર: 17,581 મત
મતદાનના રાઉન્ડ: 21
વિસાવદર પેટાચૂંટણી 2025માં ગોપાલ ઈટાલિયાએ ભવ્ય વિજય મેળવી આમ આદમી પાર્ટી માટે ગુજરાતમાં એક નવી શક્તિશાળી છબી ઉભી કરી છે. એ વિજય માત્ર એક સીટનો જ નથી, પરંતુ ગુજરાતના રાજકારણમાં એક નવા પરિવર્તનની શરૂઆતનો સંકેત છે.