Vishwas Kumar Ramesh: દુર્ઘટનામાં જીવતા રહેલા વિશ્વાસ કુમારે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળ્યા બાદ પોતાના નાના ભાઈ અજયની નનામીને કાંધ આપી; જીવન બચ્યું પણ ભાઈ ગુમાવવાનો દુઃખદ શોક ભોગવવો પડ્યો
Vishwas Kumar Ramesh: અમદાવાદની ભયાનક વિમાન દુર્ઘટનામાં બચેલા એકમાત્ર મુસાફર વિશ્વાસ કુમાર રમેશને આજે સિવિલ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા. પરંતુ હોસ્પિટલમાંથી સીધા ઘરે પહોચ્યા પછી તેમને ભાઈ અજયની નનામીમાં સામેલ થવાનું થયું. અજયનું મૃત્યુ વિશ્વાસ માટે અત્યંત આઘાતજનક સાબિત થયું, કારણ કે બંને ભાઈઓ એકસાથે ફ્લાઇટમાં મુસાફરી કરી રહ્યા હતા.
વિશ્વાસની મેડિકલ સારવાર પૂર્ણ થતાં જ તેમને તેમના વતન દીવ લઇ જવાયા, જ્યાં અજયના દેહ સાથે અન્ય છ દિવના મૃતદેહો પણ પહોંચ્યા હતા. દેહખાનું છોડ્યા પછી, વિશ્વાસે નરમ દિલથી પોતાના નાના ભાઈને અંતિમ વિદાય આપી. અજયની નનામીને જ્યારે વિશ્વાસે પોતાના કાંધ પર ઉઠાવી, ત્યારે આખું ગામ શોકમગ્ન થઈ ગયું હતું.
વિશ્વાસે ફ્લાઇટની 11A સીટ પરથી ચમત્કારિક રીતે બચાવ મેળવ્યો હતો, જ્યારે વિમાન ટેકઓફ પછી થોડી જ ક્ષણોમાં જ ધડામભેર પછડાયું હતું. વિસ્ફોટ બાદ વિમાન આગની જ્વાળાઓમાં ઘેરાઈ ગયું હતું, જેમાં 242માંથી 241 મુસાફરો અને ક્રૂના સભ્યો જીવ ગુમાવ્યા હતા. પણ વિશ્વાસે નરમ માટી અને ઇમારતો વચ્ચે પડતાં જીવતો જ બચી ગયો.
તેમના બચાવમાં કુદરતનો હાથ રહ્યો હોય તેમ લાગ્યું, પરંતુ પરિવાર માટે આ બચાવ અધૂરો રહ્યો. પોતાનો ભાઈ ગુમાવવાને કારણે વિશ્વાસ સહિત આખા પરિવાર માટે આ દુર્ઘટના જીવનભરનું ઘાવ બની ગઈ છે.
હોસ્ટિપટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ જ જ્યારે વિશ્વાસ પોતાના પરિવાર સાથે ભાઈ અજયને અંતિમ વિદાય આપવા નિકળ્યો, ત્યારે ગામમાં આંખ ભીની ન થઈ હોય એવી કોઈ નજરે ન પડી. આ ઘટના માત્ર દુર્ઘટના ન રહી પણ દુઃખની અજમાયશ બની રહી. દીવના લોકો માટે વિશ્વાસનું આ સાહસ અને ભાઈ પ્રત્યેનું બંધન એક લાગણીશીલ સંદેશ આપી ગયું.
આ દુર્ઘટનામાં જીવ બચાવનાર વિશ્વાસે હવે જીવનભર ભાઈ અજયની યાદ સાથે જીવવાનું છે. દુઃખમાં પણ સંઘર્ષની પ્રેરણા પૂરું પાડતો આ ઘટનાક્રમ દરેક માટે મર્મસ્પર્શી બની રહ્યો છે.