ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીઓની તૈયારીઓ રાજકીય પાર્ટીઓ તરફથી પુરજોશમાં શરૂ થઈ ગઈ છે, તેવા માહોલમાં ‘ સત્ય ડે’ ન્યૂઝ પરથી દરરોજ રાજ્યના અલગ અલગ જિલ્લાઓની વિધાનસભા બેઠકો વિશેની સચોટ અને વિસ્તૃત માહિતી મેળવીશું.
(73) ગોંડલ વિધાનસભા બેઠક
મોડર્ન ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગોંડલ આજે ‘એન્જિનિયરિંગ સિટી’ તરીકે પ્રખ્યાત છે, ગોંડલ જીનિંગ મીલ અને ઓઈલ મિલનું હબ છે.
જનસંઘનું ભાજપમાં વિલિનીકરણ થયા બાદ ભાજપ સ્વતંત્ર પક્ષ બન્યો હતો, કટોકટી પછી સ્વતંત્ર ભાજપ પક્ષની સ્થાપના થયા બાદ વર્ષ 1980માં કેશુભાઈ પટેલ ભાજપમાંથી પ્રથમ ચુંટણી ગોંડલ વિધાનસભા બેઠક ઉપરથી લડ્યાં હતા.
હાલ પણ ગોંડલ જીનિંગ મીલ અને ઓઈલ મિલનું હબ છે, સૌરાષ્ટ્રનું સૌથી મોટું માર્કેટ યાર્ડ ગોંડલમાં આવેલું છે.
ગોંડલ વિધાનસભા સીટનો રાજકીય ઈતિહાસ
જનસંઘનું જ્યારે ભાજપમાં વિલિનીકરણ થયું ત્યારબાદ ભાજપ સ્વતંત્ર પક્ષ બન્યો હતો, કટોકટી (emergency) પછી સ્વતંત્ર ભાજપ પક્ષની સ્થાપના થઇ, અને ત્યારબાદની વર્ષ 1980ની ચુંટણીમાં ગોંડલ વિધાનસભા સીટ પરથી કેશુભાઈ પટેલ ભાજપમાંથી ચૂંટણી લડ્યા હતાં, જેમાં તેઓ મોટા અંતરથી વિજયી થયા હતાં. વર્ષ 1990 થી આ વિધાનસભા સીટ પર ભાજપનો દબદબો છે.
વર્ષ 2007 માં એનસીપીના ઉમેદવાર ચંદુભાઈ વઘાસિયા આ સીટ પરથી વિજેતા થયેલા,
2007 ની ચુંટણીમાં ચંદુભાઈ વઘાસિયા ક્ષત્રિયોની પરંપરાગત ગણાતી આ સીટ પર વિજય મેળવીને હીરો સાબિત થાય હતાં, જયરાજસિંહ જાડેજા તેમણેે 488 મતોની પાતળી સરસાઇથી પરાજય આપ્યો હતો.
જે બાદ 2012 ની વિધાનસભા ચુંટણીમાં કેશુભાઈ પટેલની સ્વતંત્ર પાર્ટી GPP માંથી ગોરધનભાઈ ઝડફિયા, NCP ના સિટિંગ ધારાસભ્ય ચંદુભાઈ વઘાસિયા અને ભાજપના જયરાજસિંહ જાડેજા વચ્ચે જંગ ખેલાયેલો,જેમાં ફરી એક વાર ભાજપનો વિજય થયેલો.
ત્યારબાદ વર્ષ 2017 ની ચુંટણીમાં ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા હત્યાના આરોપસર ચુંટણી લડી ન શકતા આ વખતે ભાજપે તેમના પત્ની ગીતાબા જાડેજાને ચૂંટણી મેદાને ઉતારેલા, જેઓ વિજયી થયા હતાં.
અહીંના મુખ્ય મુદ્દાઓ અને સમસ્યાઓ
ગોંડલ વિસ્તાર મુખ્યત્વે ઉદ્યોગો અને ખેતી પર આધાર રાખે છે, જેમાં ખાસ કરીને ખેતીને લગતી સમસ્યાઓ અવારનવાર સામે આવતી હોય છે, કપાસ અને મગફળીના ભાવો જેવા મુદ્દાઓ મુખ્ય રીતે ગણી શકાય છે.
ગોંડલ બેઠક પર જ્ઞાતિઓનું ગણિત
આ બેઠક પર મુખ્યતવેે પાટીદાર સમાજના મતદારો બહોળી સંખ્યામાં છે, 45% થી વધુ મતદારો પાટીદાર સમાજમાંથી આવે છે, જ્યારે દલિત સમાજના 12 ટકા, લઘુમતી સમાજના 6 ટકા, બ્રામ્હણ સમાજના 5 ટકા, જ્યારે ક્ષત્રિય સમાજના 3 ટકા મતદારો છે.
આ બેઠક પર મુખ્યત્વે પાટીદાર સમાજના મતદારો ઉમેદવારનું ભાવિ નક્કી કરતાં હોય છે.
આગામી ચુંટણીમાં કેવી રહેશે રાજકીય પરિસ્થિતિ
એક અંદાજે આગામી ચુંટણીમાં આ બેઠક પરના તમામ રાજકીય સમીકરણો બદલાય તેવા દ્રશ્યો દેખાઈ આવવાની પૂરી શક્યતા છે.
પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પત્ની હાલમાં સિટિંગ ધારાસભ્ય છે, ભાજપમાં જે રીતે રાજકીય પરિવર્તનો થયા છે, તે જોતાં ભાજપ અહી કઈક નવાજુની કરે તેવી શક્યતાઓ છે, બીજી બાજુ છેલ્લા કેટલાય સમયથી વહેતા સમાચારો મુજબ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ જો કોંગ્રેસ સાથે જોડાય તો શક્ય છે કે ગોંડલ બેઠક ભાજપ માટે જીતવી લોઢાના ચણા ચાવવા સમાન થઈ જાય.. અને એવું પણ બની શકે કે ખુદ નરેશ પટેલ જ કોંગ્રેસમાંથી આ બેઠક પર ચૂંટણી લડે.
© SatyaDay News