ભુજની સમરસ કુમાર છાત્રાલયમાં વિદ્યાર્થીઓને પડતી પારાવાર મુશ્કેલી

By
Satya Day
Satya Day is a dedicated contributor at Satya Day News, delivering timely, factual, and insightful news updates across various categories including politics, current affairs, social issues,...
2 Min Read

શુદ્ધ પીવાના પાણીથી લઇને ભોજન તેમજ સુવા માટે બેડશીટ પણ અપાતી નહીં હોવાના આક્ષેપ કરાયા

ભુજ : ભુજ ખાતે આવેલી સમરસ કુમાર છાત્રાલયમાં છેલ્લા ઘણા સમયથી વિવિધ પ્રકારની સમસ્યાઓ સર્જાઈ છે. જેનો કોઈ ઉકેલ નહીં આવતાં વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે છાત્રાલયના જવાબદાર અધિકારીઓ સમક્ષ વિદ્યાર્થીઓએ રજૂઆતો કરી હોવા છતાં પણ કોઇ પગલાં લેવાના બદલે વિદ્યાર્થીઓને દબાવવામાં આવતા હોવાનો તેમજ છાત્રાલયમાંથી પ્રવેશ રદ કરીને તેમની કારકિર્દી બગાડવાની ધમકીઓ આપવામાં આવતી હોવાના ગંભીર આક્ષેપ ઉઠયા છે.

WhatsApp Image 2025 09 20 at 12.40.45 AM.jpeg

- Advertisement -

આ અંગે નેત્રાની જ્ઞાતિ નિર્મુલન સમિતિના આગેવાનોએ જીલ્લા કલેકટરને રજુઆત કરતાં જણાવ્યું હતું કે, સમરસ કુમાર છાત્રાલયમાં છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીઓને પીવાના પાણીની તકલીફ, ગુણવત્તાયુક્ત તથા મેન્યુ પ્રમાણેનું ભોજન આપવામાં આવતું નથી. છાત્રાલયની ક્ષમતા ૨૫૦ વિદ્યાર્થીઓની છે, જેમાં ૧૦ બાથરૂમમાંથી માત્ર ૪ જ ચાલુ હાલતમાં છે, બાકીના બાથરૂમ બંધ હાલતમાં પડ્યા છે. બાથરૂમની સફાઇ પણ નિયમિત કરવામાં આવતી નથી. ગરમ પાણીની સુવિધા પણ બંધ છે. સુરક્ષા કર્મચારી રાત્રિ દરમ્યાન નશાયુક્ત હાલતમાં હોય છે તેવો આક્ષેપ કરાયો હતો. ઈબીસીના બદલે ઇડબલ્યુએસ ઉમેદવારોને પ્રવેશ આપવામાં આવ્યો છે.

WhatsApp Image 2025 09 20 at 12.40.46 AM 1.jpeg

- Advertisement -

નાપાસ વિદ્યાર્થીઓને પણ પ્રવેશ અપાયાની ફરિયાદ

સમિતિ દ્વારા કરાયેલા આક્ષેપ મુજબ નાપાસ થયેલા વિદ્યાર્થીઓને પણ પ્રવેશ આપવામાં આવ્યો છે. કેટલાક છાત્રો દ્વારા દારૂનું સેવન પણ કરવામાં આવી રહ્યું છે. લાયબ્રેરીમાં નવા પુસ્તકો નથી તેમજ સુવા માટે નવી ચાદર, ઓશિકા કે બેડશીટ પણ આપવામાં આવતા નથી તેવા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા.

WhatsApp Image 2025 09 20 at 12.40.46 AM.jpeg

રજૂઆત કરનાર છાત્રો પર કરવામાં આવતું દબાણ

છાત્રાલયનો કોઇપણ વિદ્યાર્થી રજૂઆત કરે તો કર્મચારીઓ દ્વારા તેમને દબાણ કરવામાં આવે છે, તથા તેમનો પ્રવેશ રદ કરવાની તેમજ તેમની કારકિર્દી બગાડી નાખવાની ધમકી આવામાં આવે છે. આ સ્થિતિ વિદ્યાર્થીઓના હકો તથા છાત્રાલયના નિયમોની વિરૂદ્ધ છે. તેથી મામલે યોગ્ય તપાસ કરીને જરૂરી પગલાં ભરીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ સમિતિ દ્વારા કરાઇ હતી.

- Advertisement -
Share This Article
Satya Day is a dedicated contributor at Satya Day News, delivering timely, factual, and insightful news updates across various categories including politics, current affairs, social issues, and regional developments. With a passion for truth and responsible journalism, Satya Day ensures that every story reflects accuracy, neutrality, and public relevance. Stay connected with Satya Day for news that matters.