Depression માનસિક સ્વાસ્થ્ય પર વિટામિનની ભૂમિકા
Depression આજકાલ જીવનશૈલીમાં થતો તણાવ, અનિયમિત આહાર અને વ્યાયામની અછત માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે. ઘણીવાર ડિપ્રેશન, ચિંતાની લાગણી અને મૂડ સ્વિંગ જેવા લક્ષણો માટે આપણે આંતરિક પરિબળોને જવાબદાર માનીએ છીએ, પરંતુ ઓછા લોકોને ખબર હોય છે કે કેટલાક જરૂરી વિટામિનની ઉણપ પણ આ સમસ્યાઓ માટે જવાબદાર હોઈ શકે છે. ખાસ કરીને વિટામિન B12 અને વિટામિન D કે જેના અભાવથી ડિપ્રેશન જેવી માનસિક સમસ્યાઓ પેદા થઈ શકે છે.
વિટામિન B12 ની ઉણપ: તાકાત અને મગજ બંને પર અસર
વિટામિન B12 નર્વસ સિસ્ટમના યોગ્ય કાર્ય માટે ખૂબ જ આવશ્યક છે. તેની ઉણપ થવાથી થાક, ધ્યાન કેન્દ્રિત ન કરી શકવું, ભુલકણપણું અને ડિપ્રેશન જેવા લક્ષણો જોવા મળે છે.
કેવી રીતે દૂર કરવી B12 ની ઉણપ?
- તમારા આહારમાં નીચેના ફૂડ્સનો સમાવેશ કરો:
- ઇંડા, ચિકન, માછલી
- દૂધ અને દૂધથી બનેલા ઉત્પાદનો
- મશરૂમ્સ અને ફોર્ટિફાઇડ અનાજ
- શાકાહારીઓ માટે B12 સપ્લિમેન્ટનો પણ સહારો લેવો ઉપયોગી રહી શકે છે (ડોક્ટરની સલાહથી).
વિટામિન D ની ઉણપ: “સનશાઇન વિટામિન” જે છે તમારા મૂડ માટે જવાબદાર
વિટામિન D માત્ર હાડકાં માટે નહીં, પણ મગજના હાર્મોન્સ માટે પણ મહત્વપૂર્ણ છે. તેની ઉણપને કારણે ઊંઘમાં અવરોધ, ઉદાસીનતા અને ડિપ્રેશનની અસર ઊંડે ઊતરી શકે છે.
કેવી રીતે દૂર કરવી Vitamin D ની ઉણપ?
- દરરોજ સવારે ઓછામાં ઓછા 20 મિનિટ સૂર્યપ્રકાશમાં રહો.
- આહારમાં શામેલ કરો:
- દૂધ, બદામ, ફોર્ટિફાઇડ નારંગીનો રસ
- ફેટી માછલી (જેમ કે સેલમન)
- ફોર્ટિફાઇડ સિરિયલ્સ
- ગંભીર ઉણપ હોય તો ડોક્ટર દ્વારા તક્કી વિટામિન D સપ્લિમેન્ટ લેવી યોગ્ય રહેશે.
ડિપ્રેશન અને માનસિક થાકને માત્ર તણાવ કે જીવનશૈલી સાથે જોડીને જોવું પૂરતું નથી. જ્યારે શરીરમાં જરૂરી વિટામિન્સની ઉણપ થાય છે, ત્યારે તેનો સીધો અસર તમારા મૂડ અને ઉર્જા પર પડે છે. યોગ્ય આહાર, નિયમિત વ્યાયામ અને સમયસર તપાસથી તમે તમારી માનસિક તંદુરસ્તી જાળવી શકો છો. જો તમારું મન લાંબા સમયથી ઉદાસ રહે છે, તો એકવાર રક્ત પરિક્ષણ દ્વારા તમારા વિટામિન લેવલ ચકાસવા ભલામણ છે.