Mental Health તણાવ, ચિંતા અને ઊંઘની સમસ્યામાં અશ્વગંધાનું મહત્ત્વ, યોગ અને આયુર્વેદ સાથે સંયોજન કેટલું અસરકારક?
Mental Health આધુનિક જીવનશૈલીમાં તણાવ અને માનસિક ચિંતા સામાન્ય સમસ્યાઓ બની ગઈ છે. આવા સમયમાં આયુર્વેદમાં વર્ણવેલી એક ખાસ જડીબૂટી છે — અશ્વગંધા. તેનું વૈજ્ઞાનિક નામ Withania somnifera છે અને તેનું ઉપયોગ શારિરીક તેમજ માનસિક તંદુરસ્તી માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.
તણાવથી થતી તકલીફોમાં અશ્વગંધાનો ઉપયોગ કેટલો અસરકારક છે?
ન્યુરોલોજીસ્ટ ડૉ. ગોવિંદરાજન અનુસાર, અશ્વગંધા સ્ટ્રેસ હોર્મોન કોર્ટેસોલના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આ કારણે મન શાંત રહે છે, ચિંતામાં રાહત મળે છે અને ઊંઘ સારી આવે છે. તે આપણા નર્વસ સિસ્ટમને સંતુલિત રાખે છે, જેના કારણે તણાવ અને ચિંતા જેવી લાગણીઓ હળવી થાય છે
યોગ અને અશ્વગંધાનો સંયુક્ત લાભ
યોગ અને પ્રાણાયામ જેટલું મહત્વપૂર્ણ છે, તેટલું જ અશ્વગંધા પણ છે. યોગાભ્યાસ દરમિયાન મન એકાગ્ર રહેવા માટે મગજ શાંત હોવું જરૂરી છે. અશ્વગંધા પાવડરનું નિયમિત સેવન શરીરની સહનશક્તિ અને માનસિક ક્ષમતા બંનેમાં વધારો કરે છે. વિશેષ કરીને ધ્યાન, માઇન્ડફુલનેસ અને બ્રેથિંગ એક્સરસાઇઝ કરતી વખતે તેનું લાભ વધુ મળે છે.
સારી ઊંઘ માટે
જો તમારું મન તણાવગ્રસ્ત હોય અને ઊંઘ અવરોધિત થતી હોય, તો અશ્વગંધા ઉપયોગી સાબિત થાય છે. સૂતાં પહેલાં ગરમ તેલમાં અશ્વગંધા મિક્સ કરીને કે પગની માલિશ કરવાથી નરમાઈ અને આરામની લાગણી થાય છે. રક્તસંચાર સુધરે છે અને ઊંઘ ગુણવત્તાયુક્ત બને છે.
અશ્વગંધા કેવી રીતે વાપરવી?
- દ્રાવ્ય રૂપે:
અડધી ચમચી અશ્વગંધા પાવડરને 2 કપ પાણીમાં ઉકાળો અને તે અડધું થાય ત્યાં સુધી ગરમ કરો. પછી છાનીને પી લો. - દૂધ સાથે:
રાત્રે સૂતા પહેલા ગરમ દૂધમાં અશ્વગંધાનું પાવડર ઉમેરીને પીવાથી ઊંઘમાં સુધારો થાય છે. - માલિશ માટે:
તલતેલમાં મિક્સ કરીને શરીર પર હલકી માલિશ કરવી.
અશ્વગંધા માત્ર તણાવ દૂર કરવા માટે જ નહીં પરંતુ એકંદર શારીરિક અને માનસિક તંદુરસ્તી માટે પણ ઉત્તમ આયુર્વેદિક વિકલ્પ છે. જો તમે નિયમિત યોગ, ધ્યાન અને સકારાત્મક જીવનશૈલી સાથે અશ્વગંધાનો ઉપયોગ કરો તો તમારું જીવન વધુ સંતુલિત અને શાંત બની શકે છે.