ભારતની સુરક્ષામાં એરફોર્સ વિભાગ ખુબ જ મહત્વનું પાસું છે ભારતમાં 1932માં વાયુસેનાની સ્થાપના કરવામાં આવી હતી ઘણા લોકોને ખબર નહીં હોય કે આઝાદી પહેલા ભારતીય વાયુસેનાને રોયલ ઇન્ડિયન એરફોર્સ કહેવામાં આવતું હતું. આ ખાસ દિવસે ઇન્ડિય એરફોર્સ સાથે જોડાયેલા કેટલાક ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ 1 એપ્રિલ 1933ના રોજ વાયુસેનાની પહેલી સ્ક્વોડ્રોન બનાવવામાં આવી હતી. તેમાં 6 RAF ટ્રેન્ડ ઓફિસર અને 19 એરફોર્સ સૈનિક સામેલ હતા.
એપ્રિલ 1933ના રોજ વાયુસેનાની પહેલી સ્ક્વોડ્રોન બનાવવામાં આવી હતી. તેમાં 6 RAF ટ્રેન્ડ ઓફિસર અને 19 એરફોર્સ સૈનિક સામેલ હતા. ઇન્ડિયન એરફોર્સે પાંખે બીજા વિશ્વયુદ્ધમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી
આઝાદી પહેલા એરફોર્સ પર આર્મીનો કંટ્રોલ હતો. એરફોર્સને આર્મીના કમાંડથી સ્વતંત્ર બનાવવાનું ક્રેટિડ ઇન્ડિયન એરફોર્સના પહેલા કમાંડર ઇન ચીફ એર માર્શલ સર થોમસ ડબલ્યુ એલ્મહર્સ્ટને જાય છે. તેઓ ભારતીય વાયુસેનાના પહેલા ચીફ એર માર્સલ હતા. તેઓ 15 ઓગસ્ટ 1947થી 22 ફેબ્રુઆરી 1950 સુધી આ પદ પર હતા.ભારતીય વાયુ સેનાનો ધ્વજ તેના સિમ્બોલથી અલગ વાદળી કલરનો છે. જેમાં એક ચતુર્થાંશ ભાગમાં રાષ્ટ્રિય ધ્વજ છે.
તો મધ્યભાગમાં રાષ્ટ્રધ્વજના ત્રણેય રંગ કેસરી, સફેદ અને લીલા રંગનું બનેલું એક ગોળ છે આ ધ્વજને 1951માં અપનાવવામાં આવ્યો હતો.
પાકિસ્તાન સાથેના ૧૯૬પના યુદ્ધમાં મર્યાદિત ભૂમિકા પરંતુ ૧૯૭૧ના યુદ્ધમાં મહત્ત્વની ભૂમિકા ભજવીને પાકિસ્તાની હવાઇ દળને ભયંકર ફટકો મારનાર તેમ જ યુદ્ધમાં મહત્ત્વના સ્થળો અને વિસ્તારોમાં ભારતીય હવાઇ દળની સર્વોપરિતા સ્થાપનાર લડાયક વિમાન મિગ-૨૧ છે.
રાફેલની બીજી બેચમાં ત્રણ વિમાન ભારતીય વાયુસેનાનો ભાગ બનશે અને તેમને પશ્વિમ બંગાળમાં તૈનાત કરવામાં આવશે. તમને જણાવી દઇએ કે ભારત-ચીનમાં ચાલી રહેલા તણાવ વચ્ચે રાફેલ આવતાં વાયુસેનાને ખૂબ મજબૂતી મળી છે અને હજુ કેટલાક ફ્રાન્સ પાસેથી ખરીદી ચાલી રહી છે .