વડાપ્રધાન મોદીજીએ પોતાના જન્મ દિવસ ઉપર નામિબિયાથી ભારતમાં મંગાવેલા આઠ ચિતાઓ ઉપર વિપક્ષની ટીપ્પણી શરૂ થઈ છે જેમાં અખિલેશ યાદવે ચિત્તાનો વીડિયો ટ્વીટ કર્યો તેમાં એક ચિત્તો બિલાડીની જેમ અવાજ કાઢતો જોવા મળે છે. આ ટ્વિટ પર તેઓએ લખ્યું, “બધા ગર્જનાની રાહ જોઈ રહ્યા હતા… પરંતુ આતો બિલાડીની માસીના પરિવારની હોવાનું બહાર આવ્યું.” !!
નામિબિયાથી ભારત આવેલા આઠ ચિતાઓ પર રાજનીતિ શરૂ થઈ ગઈ છે. એક તરફ કૉંગ્રેસ પ્રોજેક્ટ ચિતા વિશે પોતાની દલીલો કરી રહી છે, જ્યારે અન્ય વિપક્ષી નેતાઓ પણ મજાક ઉડાવી રહ્યા છે. આ દરમિયાન સપા નેતા અખિલેશ યાદવ ચિત્તાનો એક વીડિયો ટ્વીટ કરીને કહ્યું કે આ ચિત્તા નથી પણ બિલાડીની માસી છે.
અખિલેશ યાદવના આ ટ્વીટ પછી બીજેપીના નેતાઓ અખિલેશ ઉપર ભડકયા હતા અને જણાવ્યું કે “કોઈ અખિલેશ ભૈયાને કહે કે બિલાડી, ચિત્તા અને સિંહ વગેરેમાં ફર્ક હોય છે.”
આ વીડિયો ટ્વીટ કર્યા બાદ અખિલેશ યાદવ ટ્રોલ થયા હતા.
તેના ટ્વીટના જવાબમાં ઘણા યુઝર્સે લખ્યું કે, ચિત્તા સિંહ કે વાઘની જેમ ગર્જના કરતા નથી. તેમનો અવાજ અલગ છે, જ્યારે ઘણાએ લખ્યું કે આમાં અખિલેશ યાદવનો વાંક નથી, તેમને ખબર ન હતી કે 1952માં ભારતમાંથી ચિત્તા લુપ્ત થઈ ગયા હતા.