અજમેરના આનાસાગર તળાવમાં 2000ની નોટોના બંડલ જોવા મળતા લોકો એકત્ર થઈ ગયા હતા,જોકે પોલીસ તરતજ સ્થળ ઉપર ધસી ગઈ હતી અને નોટો કબ્જે લીધી હતી.
અજમેરમાં આનાસાગર તળાવમાંથી 2 હજારની નોટના બંડલ તરતા જોવા મળતા લોકોની ભીડ એકત્ર થઈ ગઈ હતી જોકે સ્થળ ઉપર દોડી આવેલી પોલીસે તરવૈયાઓની મદદથી તળાવમાં ત્રણ થેલીમાં રહેલા 54 નોટોના બંડલ કાઢયા હતા.જેની ગણતરી કરતા કુલ 1.08 કરોડ રૂપિયા હોવાનું સામે આવ્યુ છે.
તમામ નોટ પર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા લખેલું છે ,પુષ્કર રોડ સ્થિત સેન્ચુરી પબ્લિક સ્કૂલ પાસે આવેલા
આનાસાગર તળાવમાંથી બહાર કાઢેલી 3 થેલીઓમાં રહેલી 2 હજારની નોટ અસલી છે કે નકલી તે અંગે તપાસ શરૂ થઈ છે.
પોલીસના જણાવ્યા મુજબ આ અંગે બેંકના અધિકારીઓ પાસેથી અભિપ્રાય લેવામાં આવશે. સાથે જ આ નોટને આનાસાગર તળાવમાં કોણ ફેંકી ગયું તે અંગે પણ પોલીસે તપાસ શરૂ કરી છે.પોલીસે આ અંગે વધુ તપાસ શરૂ કરી છે.