યુપીમાં રાતોરાત જાણીતા બની ગયેલા શૂટર્સ અરુણ મૌર્ય, સની સિંહ અને લવલેશ તિવારીએ અતિક અહેમદ અને અશરફની હત્યા કર્યા બાદ હુમલાખોરોને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં નૈની સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યા હતા પણ અહીં
અતીકનો પુત્ર અલી અહેમદ નૈની જેલમાં બંધ હોય જેલમાં પણ ગેંગ વોર થવાની સ્થિતિ જણાતા ત્રણેય શૂટરોને પ્રતાપગઢ જેલમાં લઈ જવામાં આવ્યા છે.
બીજી તરફ પોતાના ભાઈ અને કાકા તેમજ પિતાની હત્યા થતાં જેલમાં બંધ અલી અહેમદ છેલ્લા બે દિવસથી સતત હંગામો મચાવ્યો છે અને રવિવારે તે પોતાના પિતા અતીકના અંતિમ સંસ્કારમાં જવાનો પણ આગ્રહ કરી રહ્યો હતો. પરંતુ પરવાનગી આપવામાં આવી ન હતી. દરમિયાન આજે સોમવારે બપોરે અલી જોર જોરથી રડવા લાગ્યો હતો. વોર્ડર્ન તેની પાસે પહોંચ્યા ત્યાં સુધીમાં તેણે બેરેકના ગેટ પર માથું પછાડયું હતું તેથી તેના માથામાં ઈજા થઈ હતી.
જેલના સૂત્રોના જણાવ્યા અનુસાર અસદના એન્કાઉન્ટરથી અલી પરેશાન છે.
છેલ્લી ત્રણ રાતથી તે ઊંઘી શક્યો પણ નથી. તેણે જેલનું ભોજન ખાવાની પણ ના પાડી દીધી છે. તે વારંવાર એક જ વાત કહી રહ્યો છે કે અમારા ભાઈની હત્યા છેતરપિંડીથી થઈ છે, પિતા અને કાકાની પણ હત્યા કરવામાં આવી છે.