અતીક અને અશરફની હત્યા કરનાર ત્રણેય આરોપીઓ જુદા જુદા જિલ્લાના છે.
લવલેશ તિવારી બાંદાનો રહેવાસી છે જ્યારે અરુણ મૌર્ય હમીરપુરનો રહેવાસી છે. અને ત્રીજો આરોપી સની કાસગંજ જિલ્લાનો છે. દરમિયાન ત્રણેય આરોપીઓની પોલીસ તેમના નિવેદનો લઈ રહી છે. તપાસમાં ત્રણેય આરોપીઓ અતીક અને અશરફની હત્યા કરવાના ઈરાદે પ્રયાગરાજ આવ્યા હોવાનું કબૂલ્યું છે.
અતીક અને અશરફની હત્યા કર્યા બાદ ત્રણેય હુમલાખોરોએ તરત જ આત્મસમર્પણ કર્યું હતું.
સ્થળ પર હાજર પોલીસકર્મીઓએ તેની ધરપકડ કરી હતી.
ઘટનાસ્થળેથી ત્રણ ગનના કારતૂસ મળી આવ્યા છે.
આરોપીઓ પત્રકાર બનીને આવ્યા હતા તેઓ પાસેથી એક કેમેરા, માઈક આઈડી પણ મળી આવી છે. ઘટના બાદ યુપીમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
અતીક અને અશરફ પર ગોળીબાર કરનારા ત્રણેય આરોપીઓ જૂનો ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. આરોપીઓ સામે અગાઉ ક્યાં અને કેવા કેસ નોંધાયેલા છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. પૂછપરછ દરમિયાન આરોપીઓ કહી રહ્યા છે કે તે મોટા માફિયા ડોન બનવા માંગતા હતા, તેથી તેમણે આ ઘટનાને અંજામ આપ્યો હોવાનું જણાવ્યું છે.
પોલીસ વધુ તપાસ કરી રહી છે.