એક સમય એવો હતો જ્યારે અતીકના કેસને કારણે જજ પણ ધ્રૂજતા હતા. 10 ન્યાયાધીશોએ અતીકની જામીન અરજી પર સુનાવણીમાંથી પોતાને દૂર રાખ્યા હતા,આવો જાણીએ શું હતી આ સમગ્ર ઘટના…
એક વખતના સાંસદ અને પાંચ વખત ધારાસભ્ય રહી ચૂકેલા માફિયા અતીક સામે 44 વર્ષ પહેલા પહેલો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારથી અત્યાર સુધીમાં તેની સામે સોથી વધુ કેસ નોંધાયા છે, પરંતુ ઉમેશ પાલ અપહરણ કેસમાં તેને પહેલીવાર દોષી ઠેરવવામાં આવ્યો હતો અને તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.
એક સમય એવો હતો જ્યારે અતીકના કેસને કારણે જજ પણ ધ્રૂજતા હતા. 10 ન્યાયાધીશોએ અતીકની જામીન અરજી પર સુનાવણીમાંથી પોતાને દૂર કર્યા હતા,આવો જાણીએ શું હતી આ સમગ્ર ઘટના…
વર્ષ 2012માં અતીક જેલમાં હતો અને યુપીમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ હતી, તેણે અલ્હાબાદ હાઈકોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. હાઈકોર્ટના 10 ન્યાયાધીશોએ અતીકની અરજીની સુનાવણીથી પોતાને દૂર કર્યા અને 11મા ન્યાયાધીશે સુનાવણી હાથ ધરી હતી અને તેઓએ અતીકની જામીન અરજી સ્વીકારી લીધી અને અતીક જેલમાંથી બહાર આવીને ચૂંટણી લડ્યો જોકે, અતિક રાજુ પાલની પત્ની પૂજા પાલ સામે ચૂંટણી હારી ગયો હતો.
વર્ષ 1962 પ્રયાગરાજનું ચકિયા ગામમાં ઘોડાઘાડી ચલાવી ગુજરાન ચલાવનાર ફિરોઝ અહેમદના ઘરે અતીક અહેમદનો જન્મ થયો હતો.
ફિરોઝ ઘરમાં એકમાત્ર કમાનાર હતો. કોઈક રીતે પૈસાની વ્યવસ્થા કરીને તે અતીકને ભણાવતો, પણ તેને ભણવામાં જરા પણ મન ન લાગ્યું. પરિણામ એ આવ્યું કે તે 10માં નાપાસ થયો. આ પછી તેણે અભ્યાસ સંપૂર્ણપણે છોડી દીધો. હવે તેને વહેલામાં વહેલી તકે અમીર બનવાની લગની લાગી પરંતુ પૈસા કમાવવા માટે મહેનત કરવાને બદલે તેણે શોર્ટકટ પસંદ કર્યો.
લૂંટ અને અપહરણ દ્વારા પૈસા પડાવવાનો શોર્ટકટ.
તેણે ખંડણી વસૂલવા માટે લોકોની હત્યા પણ શરૂ કરી દીધી હતી.વર્ષ 1979માં અતીક સામે પહેલીવાર હત્યાનો કેસ નોંધવામાં આવ્યો હતો.
અતીક જેલમાંથી બહાર આવતાની સાથે જ સમજી ગયો કે હવે માત્ર રાજકારણ જ તેને જેલમાંથી બચાવી શકે છે.
તેથી તેણે રાજકારણમાં આવવાનું નક્કી કર્યું. વર્ષ 1989 સુધીમાં અતીક ઉપર લગભગ 20 કેસ નોંધાઈ ચુક્યા હતા.
પ્રયાગરાજના પશ્ચિમ ભાગમાં તેમનું વર્ચસ્વ હતું,1989 માં, તેમણે પ્રથમ વખત ધારાસભ્યની ચૂંટણી લડવાનું નક્કી કર્યું. કોઈ પક્ષે ટિકિટ ન આપી તો અપક્ષમાંથી ઝંપલાવ્યું.
અતીકની સામે કોંગ્રેસના ગોપાલદાસ યાદવ ઉમેદવાર હતા.
બીજી તરફ ચાંદ બાબાને પણ અતિકનું વધતું વર્ચસ્વ પણપરેશાન કરતું હોય તેથી બાબા પણ અતીકને હરાવવા માટે ચૂંટણીમાં ઉભા રહ્યા.
ચૂંટણીના જ્યારે પરિણામો આવ્યા ત્યારે અતિકને 25,906 મત મળતા 8,102 મતોથી જીતીને પ્રથમ વખત ધારાસભ્ય બન્યા.
ધારાસભ્ય બન્યાના લગભગ ત્રણ મહિના પછી, અતીક રોશનબાગમાં ચાના સ્ટોલ પર તેના ભાઈઓ સાથે બેઠો હતો. અચાનક ચાંદ બાબા તેના સાથીઓ સાથે ત્યાં આવ્યા અને બંને ગેંગ વચ્ચે ગેંગ વોર શરૂ થઈ ગઈ. આખું બજાર ગોળીઓ, બોમ્બ અને ગનપાઉડરથી ઢંકાયેલું હતું. આ ગેંગ વોરમાં ચાંદ બાબાનું મોત થયું હતું.
થોડા મહિનામાં ચાંદ બાબાની આખી ગેંગ એક પછી એક સાફ થઈ ગઈ. ચાંદ બાબાના મોટા ભાગના વંશજો માર્યા ગયા, બાકીના ભાગી ગયા. અતીક અહેમદ પર ચાંદ બાબાની હત્યાનો આરોપ હતો. પરંતુ ધારાસભ્ય હોવાને કારણે તેમના પર કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. ચાંદ બાબાના મૃત્યુ પાછળનું કારણ ગેંગ એન્કાઉન્ટર હોવાનું કહેવાય છે. આજ સુધી અતીક આ કેસમાં દોષિત સાબિત થઈ શક્યો નથી.
આમ,અતિકનું ગુનાખોરીની દુનિયામાં સામ્રાજ્ય ઉભું થયુ અને આખરે રોડ ઉપરજ પૂરું થઈ ગયું.
કોણે વિચાર્યું હશે કે માફિયા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફનો આ રીતે અંત આવશે.