માફિયા અતીક અહેમદ અને અશરફને પ્રયાગરાજની કેલ્વિન હોસ્પિટલમાં જ્યારે પોલીસ લઈ જઈ રહી હતી તે વખતે પત્રકાર બનીને આવેલા હુમલાખોરોએ ફિલ્મી સ્ટાઈલ માં ગોળી મારી બન્નેની હત્યા કરી દેતા ભારે સનસનાટી મચી છે.
બંને આરોપીઓ પાંચ દિવસના રિમાન્ડ હતા અને પોલીસે તેની પૂછપરછ કરી રહી હતી.
દરમિયાન મેડિકલ કોલેજ પાસે બંનેની હત્યા કરવામાં આવી હતી
ઉમેશ પાલ હત્યા કેસમાં અતીક અહેમદને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.
અહેવાલ છે કે અતીક અને અશરફની હત્યામાં પરિવાર તરફથી કેસ દાખલ કરવામાં આવશે.
પોલીસ બંને ભાઈઓની હત્યા કરનાર આરોપીની પૂછપરછ કરી રહી છે. અશરફ અને અતીકની હત્યાની ન્યાયિક તપાસ થશે.
દરમિયાન 17 પોલીસકર્મી સસ્પેન્ડ કરી દેવાયા છે.
અતીક અને અશરફને ગોળી મારી આ ઘટનાને અંજામ આપનારાઓના નામ લવલેશ તિવારી, સની અને અરુણ મૌર્ય હોવાનું સામે આવ્યું છે.
અતીક અને અશરફની હત્યા બાદ પ્રયાગરાજમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. આ સાથે સીએમ યોગીએ તપાસ ટીમની રચના કરી છે. ત્રણ સભ્યોનું ન્યાયિક પંચ આ મામલાની તપાસ કરશે.