ભગવાન શ્રી રામ ની પ્રાચીન અયોધ્યા નગરી માં ભગવાન શ્રી રામ ના જન્મ સ્થળે ભવ્ય મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. ત્યારે રામલલ્લાના ભવ્ય મંદિર માટે શ્રદ્ધાળુઓ દ્વારા ભેટ, દાનનો ધોધ વહી રહ્યો છે જેમાં ચાંદીની ઈંટો નું પણ દાન મળી રહ્યું છે, રામ ભક્તો મોટી સંખ્યામાં ચાંદીની ઈંટ દાન કરી રહ્યા હોય રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટની પાસે ચાંદીની ઈંટો મોટી સંખ્યા માં એકત્ર થઈ રહી છે અને અત્યાર સુધીમાં 400 કિલો ચાંદીની ઈંટ દાનમાં આવી ગઈ છે,ત્યારે ટ્રસ્ટ દ્વારા હવે ચાંદીની ઈંટ દાન ન કરવાની શ્રદ્ધાળુઓને અપીલ કરી છે, કેમકે બેંક લોકર્સમાં તેને રાખવા માટે જગ્યા જ નથી બચી.
ટ્રસ્ટના સભ્ય ડૉ. અનિલ મિશ્રા ના જણાવ્યા મુજબ શ્રી રામ મંદિરના નિર્માણ માટે દેશભરમાંથી લોકો ચાંદીની ઈંટ મોકલી રહ્યાં છે. ટ્રસ્ટ પાસે ચાંદીની ઈંટ એટલી થઈ ગઈ છે કે તેને સુરક્ષિત અને સાચવવા માટે ઘણો ખર્ચ પણ કરવો પડી રહ્યો છે. ત્યારે ટ્રસ્ટ દ્વારા તમામ ભક્તોને ચાંદીની ઈંટ ન મોકલવાની અપીલ કરી છે. સાથે જ કહ્યું કે જ્યારે ચાંદીની ઈંટની જરૂરિયાત હશે ત્યારે શ્રદ્ધાળુઓને ફરીથી તેને દાન કરવાની અપીલ કરવામાં આવશે.
રામ મંદિર ટ્રસ્ટ સૂત્રોના જણાવ્યા મુજબ, મંદિર નિર્માણ માટે દેશભરમાંથી અત્યાર સુધીમાં 1600 કરોડ રૂપિયાથી વધુનું ફંડ આવી ગયું છે. ટ્રસ્ટ દ્વારા બનાવવામાં આવેલા અનેક ગ્રુપનું અભિયાન ચલાવીને દરેક ઘરમાંથી ફાળો એકઠો કરવામાં આવી રહ્યો છે. લોકો પાસેથી ચેક અને ઓનલાઈન માધ્યમથી પણ દાન લેવામાં આવી રહ્યું છે. ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે હાલમાં જ કહ્યું હતું કે ફાળો અભિયામાં લગભગ 1 લાખ 50 હજાર ટીમ લાગેલી છે. 39 મહિનામાં શ્રી રામ મંદિરનું નિર્માણ થઇ જશે.
પ્રાચીન ગ્રંથ રામાયણ માં વર્ણવેલ સરયૂ નદી ના કિનારે આવેલ ભગવાન શ્રી રામ ની પ્રાચીન નગરી અયોધ્યા નું ખુબજ મહત્વ છે જ્યાં હવે ભવ્ય મંદિર બનવા જઇ રહ્યું છે જે માટે કરોડો શ્રદ્ધાળુઓ માં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.
Friday, May 3