ભારત માં રહીને ભારત વિરુદ્ધ ષડયંત્ર કરનારા પાકિસ્તાની દૂતાવાસના બે અધિકારીઓને જાસૂસી કરતા રંગેહાથ ઝડપાઇ ગયા છે ,ભારતીય વિદેશ મંત્રાલય ના નિવેદન માં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાની હાઇકમિશનના બે અધિકારીઓને દિલ્હીમાં જાસૂસી કરતા પકડવામા આવ્યા છે. ભારતની એજન્સીઓએ આ કાર્યવાહી કરી છે. સરકારે તેમને પર્સોના નોન ગ્રાટા જાહેર કરીને 24 કલાકમાં ભારત છોડવાનો આદેશ કરી દેવામાં આવ્યો છે.
પાકિસ્તાનને એક ડિમાર્શે (કૂટનીતિક માંગ પત્ર) પણ સોંપવામા આવ્યો છે. તેમાં એ અધિકારીઓ દ્વારા ભારતની રાષ્ટ્રીય સુરક્ષા વિરુદ્ધ કરવામા આવી રહેલા કાર્યો અંગે આપત્તિ જાહેર કરવામા આવી છે.
બન્ને આરોપીની દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલ દ્વારા અટક કરવામા આવી છે. આરોપીના નામ આબિદ હુસેન અને મોહમ્મદતાહિર છે. બન્ને ISI માટે કામ કરતા હતા. આરોપ છે કે બન્ને ફરવા માટે ખોટા ઓળખપત્રોનો પણ ઉપયોગ કરતા હતા.
ઓક્ટોબર 2016મા સપાના પૂર્વ સાંસદ મુનવ્વર સલીમના પીએ મોહમ્મદ ફરહતની ધરપકડ કરવામા આવી હતી. તેના પર પાકિસ્તાન ઉચ્ચાયોગના ઇશારા પર જાસૂસીનો આરોપ હતો. આ મામલે ઘણા અન્ય લોકોની પણ ધરપકડ કરવામા આવી હતી. ઉચ્ચાયોગનો એક અધિકારી મહેમૂદ અખ્તર આ લોકોને જાસૂસીના બદલામાં પૈસા આપતો હતો. આરોપીઓ પાસે ગુપ્ત દસ્તાવેજો મળ્યા હતા. ભારતે કરડ કાર્યવાહી કરીને અખ્તરને તેના દેશ પરત મોકલી દીધો હતો. આ દરમિયાન જોધપુરમાંથી ISIનો એક એજન્ટ શોએબ પણ પોલીસના કબજામાં આવ્યો હતો. આમ દેશ માં રહીને જ દેશ વિરુદ્ધ કાવતરું રચનાર પાકિસ્તાની અધિકારીઓ એ તેમની ઔકાત બતાવી દીધી છે.
Saturday, May 18