22 જાન્યુઆરીએ અયોધ્યાના રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. ઉત્તર પ્રદેશના મંત્રી સુરેશ કુમાર ખન્નાએ ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે. રામ મંદિરનું 70% બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. ગર્ભગૃહના સ્તંભોને 14 ફૂટ સુધી પૂર્ણ કરવામાં આવ્યા છે.
મંદિરનું નિર્માણ ત્રણ તબક્કામાં પૂર્ણ થશે. પ્રથમ તબક્કો ઓગસ્ટ 2023 સુધીમાં પૂર્ણ થશે. બીજો તબક્કો ડિસેમ્બર 2024માં, જ્યારે 2025 સુધીમાં મંદિર આકાર લઈ લેશે. જાન્યુઆરી 2024માં મંદિરમાં દર્શન-પૂજા શરૂ થશે. મંદિરના નિર્માણમાં લગભગ 800 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. કુલ ખર્ચ અંદાજે 1800 કરોડ રૂપિયા છે.