આસામ મો ક્રૂડ ઓઇલ કૂવામાં આગ લાગતા અફડાતફડી નો માહોલ છે. આ ઘટનામાં 2 ફાયર ફાઈટરના મોત થયા છે. ઓઈલ ઈન્ડિયા પ્રવક્તા ત્રિદેવ હજારિકા એ મિડિયા ને જણાવ્યું હતું કે આગ લાગ્યા બાદ ગુમ થયેલા બંને ફાયર ફાઈટરના શબ મળ્યા છે. શબ પર દાઝવાના નિશાન છે, તેના પરથી લાગી રહ્યું છે કે કદાચ કર્મચારીઓ કૂવામાં કૂદયા હશે અને ડૂબવાના કારણે તેમનું મોત થયું છે. સાચુ મોતનું કારણ પોસ્ટમોર્ટમ બાદ ખબર પડશે.
આગ બુઝાવવાની કોશિશમાં લાગેલો ઓએનજીસીનો એકફાયર ફાઈટર પણ દાઝ્યો હતો. આગ એટલી ભયાનક હતી કે 10 કિલોમીટર દૂરથી તેની જવાળા દેખાઈ રહી છે. નજીકના 1.5 કિલોમીટર માં રહેતા 6000 લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે. ઓઈલ ઈન્ડિયાએ દરેક અસરગ્રસ્ત પરિવારને 30 હજાર રૂપિયાની મદદ કરવાની જાહેરાત કરી છે.
ગુવાહાટીથી 500 કિલોમીટર દૂર આવેલા બાઘજનમાં ઓઈલ ઈન્ડિયાના ક્રુડના કૂવામાં 27 મેના રોજ ગેસ ગળતર શરૂ થયું હતું. ત્યારથી અહીં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સની ફોર્સ તૈનાત છે. આ મામલો અહીં ભારે ચર્ચાસ્પદ બન્યો છે.આગ કાબુમાં આવતા ચાર સપ્તાહ લાગશે તેમ સૂત્રો એ ઉમેર્યું છે.
Tuesday, May 21