ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના તપોવન વિસ્તારમાં સર્જાયેલી વિનાશક તબાહી બાદ 203 લોકો લાપતા છે. તપોવનમાં ઋષિગંગા પાવર પ્રોજેક્ટ અને NTPC પ્રોજેક્ટ સાઈટને સૌથી વધુ નુકસાન પહોંચ્યું છે.અહીં થી 14 મૃતદેહ મળી આવ્યા છે. NTPC પ્રોજેક્ટ સાઈટ પર બે ટનલ છે. પહેલી ટનલમાં ફસાયેલા 16 લોકોનું રેસ્ક્યૂ કરાયુ છે. ઉત્તરાખંડના સીએમ ત્રિવેન્દ્ર સિંહ રાવતે જણાવ્યું કે, બીજી ટનલમાં 35 જેટલા કામદારો ફસાયેલા છે.
અઢી કિલોમીટર લાંબી આ ટનલમાં રવિવારે રાતે પાણી વધી ગયા પછી રેસ્ક્યૂ ઓપરેશન અટકાવી દેવાયું હતું. NDRFની ટીમે આજે સોમવારે સવારે જળસ્તર ઘટ્યા પછી ઓપરેશન ફરી શરૂ કરી દેવાયું છે. આ ટનલના 100 મીટર હિસ્સામાંથી કાટમાળ હટાવી દેવાયો છે.
ITBPના જણાવ્યા પ્રમાણે, ઋષિગંગા પ્રોજેક્ટમાં કામ કરી રહેલા 15થી 20 શ્રમિકો લાપતા છે. આ સાથે જ NTPC પ્રોજેક્ટ પર આશરે 150 શ્રમિકોનાં મૃત્યુ થયા હોવાની શક્યતા છે. પ્રોજેક્ટ સાઈટથી રાત્રે આઠ વાગ્યા સુધી આઠ જેટલા મૃતદેહ મળ્યા હતા. એની પુષ્ટિ ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર રાવતે કરી છે. ઉત્તરાખંડ સરકારના જણાવ્યા પ્રમાણે, અત્યારસુધીમાં 25 લોકોને બચાવવામાં આવ્યા છે, જે પૈકી 12 તપોવન અને 13 રૈણીના છે.
Saturday, May 18