તાતા ગ્રુપ સિંગાપુર એરલાઇન્સની સાથે એર ઇન્ડિયાને ખરીદી શકે છે. મિડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે જો આ ડીલ ફાઇનલ થઇ જાય છે તો તે એર ઇન્ડિયા માટે ઘર વાપસી જેવી ડીલ રહેશે. કારણ કે વર્ષ ૧૯૫૩ પહેલા એર ઇન્ડિયાના માલિક તરીકે તો તાતા ગ્રુપ જ હતુ. અત્રે નોંધનીય છે કે એર ઇન્ડિયાના રાષ્ટ્રીયકરણ કરી દેવામાં આવ્યા બાદ તે સરકારના નિયંત્રણ હેઠળ આવતા તેની ચર્ચા રહીહતી. એર ઇન્ડિયા પર ૫૦૦૦૦ કરોડ રૂપિયાનુ દેવુ છે અને હિસ્સેદારી વેચી દેવામાં આવશે તેવી વાત હાલમાં ચાલી રહી હતી. પ્રાપ્ત માહિતી મુજબ તાતા ગ્રુપના ચેરમેન એન. ચન્દ્રશેખરનને એર ઇન્ડિયાને ખરીદી લેવાને લઇને સરકારની સાથે અનૌપચારિક વાત કરી હતી. હેવાલ મુજબ તાતા ગ્રુપ એર ઇન્ડિયાના હિસ્સામાં ૫૧ ટકા ઇક્વિટી ઇચ્છે છે. સરકાર પોતે પણ એર ઇન્ડિયાના ખાનગીકરણની તરફેણમાં જ છે. કેટલીક વખત આના સંકેત પણ આપી દેવામાં આવ્યા છે. એર ઇન્ડિયા વર્ષોથી નુકસાનમાં રહેતા હાલત કફોડી બનેલી છે. સરકાર દ્વારા વારંવાર મદદ કરવામાં આવી છે. તાજેતરમાં જ નાણાં પ્રધાન અરૂણ જેટલીએઅ કહ્યુ હતુ કે એવિએશન મિનિસ્ટ્ી એર ઇન્ડિયાના ખાનગીકરણને લઇને જુદા જુદા પાસા પર વિચારણા કરી રહી છે. અરુણ જેટલી કહી ચુક્યા છે કે, નુકસાનમાં ચાલી રહેલા એર ઇન્ડિયાના ખાનગીકરણની જરૂર છે. કારણ કે ઉડ્ડયન કંપનીની બજાર હિસ્સેદારી માત્ર ૧૪ ટકા રહી ગઈ છે જ્યારે તેના ઉપર દેવું ૫૦૦૦૦ કરોડથી ઉપર પહોંચી ગયું છે. સરકાર પણ એર ઇન્ડિયામાં હિસ્સેદારી વેચવા માટે તૈયાર છે. એર ઇન્ડિયામાં બજાર હિસ્સેદારી ૧૪ ટકાની આસપાસ છે.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.