ઉત્તરપ્રદેશ તા.3 : ઉત્તરપ્રદેશ માં આગામી દિવસો માં ચૂંટણી યોજાનારી છે ત્યારે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ ના ગઠબંધન પર વિવિધ અટકળો લગાડવામાં આવી રહી છે.11 ફેબ્રુઆરી ના દિવસે રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ વારાણસી માં તેમની રેલી યોજી રહ્યા છે જે પીએમ મોદી નું ગઢ ગણવામાં આવે છે.વારાણસી પર સહુ કોઈ ની નજર છે એક તો મોદી નું ગઢ મનાય છે જયારે ઉત્તરપ્રદેશ નું પેહલા ચરણ નું મતદાન પણ વારાણસી માં થનાર છે.
માનવામા આવી રહ્યું છે કે એસપી અને કોંગ્રેસ ના બંને નેતા પોતાને મીડિયા માં બનાવી રાખવા માટે અવનવા પેતરા કરી રહ્યા છે તેમજ તેનો રોડ શો જે 11 ફેબ્રુઆરી ના દિવસે વારાણસી માં યોજાનાર છે તેને પણ આનો જ એક ભાગ માનવામાં આવી રહ્યો છે.સમાજવાદી પાર્ટી ના ચૂંટણી રણનીતિકાર નું માનવું છે કે પશ્ચિમ ઉત્તરપ્રદેશ માં પેહલા ચારણ નું મતદાન યોજાનાર છે અને તેમાં ભાજપ ની સ્થિતિ ઘણી મજબૂત છે.જેના કારણે લોકો માં ગઠબંધન ને લઇ જાગૃતતા લાવાના અર્થે આ બનેં નેતા વારાણસી માં 5 કલાક નો રોડ શૉ યોજી રહ્યાં છે.
જેના પેહલા મેરઠ અને કાનપુર માં પણ આ નેતા રોડ શૉ યોજી શકે છે.ઉલ્લેખનીય છે કે માયાવતી ના ગઢ એવા આગરા માં પણ બંને નેતાઓ એ રોડ શૉ નું આયોજન કર્યું હતું.પાછળ સમય ની ચૂંટણી માં આ વિસ્તાર માં બહુજન સમાજવાદી પાર્ટી એ 9 માંથી 6 સીટો જીતી હતી.નોંધનીય એ છે કે બંને નેતા ગઠબંધન કરી ને એક સાથે રોડ શૉ યોજી રહ્યા છે.જેમાં રાજ્ય ની કુલ 403 સીટો માંથી 298 સીટ પર સમાજવાદી પાર્ટી જયારે 105 પર કોંગ્રેસ ચૂંટણી લડનાર છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.