કપિલ સિબ્બલે કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધું છે અને
સમાજવાદી પાર્ટી તરફથી ફોર્મ ભર્યુ છે,હવે તેઓ યૂપીમાંથી રાજયસભામાં જઈ સપા નો અવાજ બનશે.
કપિલ સિબ્બલ G-23ના મુખ્ય પ્રણેતા રહ્યા છે.દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, 16મેના રોજ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. સિબ્બલના ઉમેદવારી પત્ર ભરતી વખતે સપા પ્રમુખ અખિલેશ યાદવ અને રામગોપાલ યાદવ પણ ઉપસ્થિત રહ્યા હતા.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલ હવે સમાજવાદી પાર્ટીમાં જોડાઈ ગયા છે, અને અખિલેશ યાદવ તેમને રાજ્યસભામાં મોકલી રહ્યા છે. સાથેજ સપાને હવે એક સારા અનુભવી વકીલ મળી ગયા છે અને રાજ્યસભામાં અવાજનો પડઘો પડશે.
રાજીનામા બાદ તેમણે કહ્યું કે સ્વતંત્ર અવાજ ઉઠાવવો જરૂરી છે. સાથે જ તેમણે કહ્યું કે જ્યારે અપક્ષનો અવાજ ઊંચો થશે ત્યારે લોકોને લાગશે કે તે કોઈ પાર્ટીનો અવાજ નથી. મોદી સરકારને ઘેરતા સિબ્બલે કહ્યું કે અમે વિપક્ષમાં રહીને ગઠબંધન કરવા માંગીએ છીએ જે મોદી સરકારનો વિરોધ કરે છે. તેણે કહ્યું કે હું પોતે તેના માટે પ્રયત્ન કરીશ.