આવતીકાલે કેન્દ્રની મોદી સરકાર શાસનના ૩ વર્ષ પુરા કરવા જઇ રહી છે ત્યારે ભાજપે જશ્ન મનાવવાના કાર્યક્રમો ઘડી કાઢયા છે. મળતી માહિતી મુજબ ભાજપ પોતાની ઉપલબ્ધીઓ લોકોને જણાવશે. પક્ષ આ માટે જોરદાર જશ્ન યોજવા જઇ રહ્યો છે. રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજથી અનેક કેન્દ્રીય પ્રધાનોને દેશભરમાં મોકલ્યા છે અને તેઓ ૧પ જુન સુધી દેશભરનો પ્રવાસ કરી મોદી સરકારની ઉપલબ્ધીઓ જણાવશે. પક્ષે આ માટે ૪૦૦ નેતાઓને દોડાવ્યા છે.આ બધા નેતા આવતા ર૦ દિવસ સુધી દેશના ૯૦૦ જગ્યાઓનો પ્રવાસ કરશે. પીએમ મોદી આવતીકાલે ગુવાહાટીમાં એક જનસભાને સંબોધન કરી ઉજવણી કરશે.

SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.