કાશ્મીર માં ફરી એકવાર ઓમર અબ્દુલ્લા ના પરિવાર ને નજરકેદ કરી દેવાયા છે આજે રવિવારે તેઓ એ ટ્વિટ કરી કહ્યું કે, તેમને અને તેમના પિતા ફારુક અબ્દુલ્લા ને પોલીસ અધિકારીઓએ નજરકેદ કરી દીધા છે. આ અગાઉ ગતરોજ શનિવારે પીડીપી ચીફ મહેબૂબા મુફ્તીએ દાવો કર્યો હતો કે, તેમને પણ નજરબંધ કરી દેવાયા છે.
ઓમરે આજે રવિવારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી જણાવ્યું કે, ઓગસ્ટ 2019 બાદ આ નવું કાશ્મીર છે. અમને અમારા ઘરોમાં કોઈ પણ કારણ વગર બંધ કરી દેવાયા છે. તેમને મને અને મારા પિતાને ઘરમાં બંધ કર્યા એટલું પૂરતું નહોતું જે એ લોકો હવે મારી બહેનો અને બાળકોને પણ ઘરમાં બંધ કરી દીધા છે.
કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવ્યા પછી મહેબૂબા મુફ્તીને નજરબંધ કરી લેવાયા હતા. તેમને ગત વર્ષે 27 નવેમ્બરે છોડી મૂકાયા છે. તે 14 મહિના સુધી નજરબંધ રહ્યાં હતા.
જોકે, આ મામલે કાશ્મીર ઝોન પોલીસે ટ્વિટ કરીને જણાવ્યું કે, મહેબૂબા મુફ્તીને ઘરે નજરબંધ કરવામાં આવ્યા નથી પરંતું સુરક્ષાના કારણોસર તેમને પુલવામાની મુલાકાત રદ્દ કરવામાં આવી છે. પૂર્વ મુખ્યમંત્રી તથા પીડીપીના પ્રમુખ મહેબુબા મુફ્તીને પુલવામા જવાની મંજૂરી આપવામાં આવી નથી. ઓમર અબ્દુલ્લાએ ટ્વીટ કરીને કહ્યું કે, આ ઓગસ્ટ 2019 બાદનું નવું કાશ્મીર છે. કાંઇ જ જણાવ્યા વગર અમને નજરકેદ કરવામાં આવ્યા છે. આ ખૂબ જ ખરાબ બાબત છે. તેમણે કહ્યું કે, મારા પિતા સાંસદ છે અને મને મારા જ ઘરમાં નજર કેદ કરવામાં આવ્યો છે. આવી જ રીતે મારી બહેન તથા તેના બાળકોને પણ નજર કેદ કરવામાં આવ્યા છે અને ઘરના નોકરો ને પણ આવવાની પરમિશન નથી.