કેન્દ્ર સરકાર ના કૃષિકાયદા નો વિરોધ કરી રહેલા ખેડૂતો ને સરકારે મચક નહિ આપતા હવે આંદોલનને વધુ ઉગ્ર બનવાના એધાણ છે. ખેડૂતો આજે રવિવારે કેન્ડલ માર્ચ કાઢશે અને આગામી તા. 18 ફેબ્રુઆરીએ રેલ રોકો આંદોલન કરવાની જાહેરાત કરી છે, દોઆબા કિસાન સંધર્ષ કમિટિના ઉપપ્રધાન મુકેશ ચંદ્રએ પંજાબ પ્રેસ ક્લબમાં માહિતી આપતા જણાવાયું કે રવિવારે સાંજે સાડા પાંચ વાગે ગુરુદ્વારા શ્રી ગુરુ સિંહ સત્રા માડલ ટાઉનથી કેન્ડલ માર્ચ કાઢવામાં આવશે. આ માર્ચ ગુરુદ્વારા સાહિબથી નીકળશે અને માડલ ટાઉન માર્કેટ થઈને ગુરુદ્વારા સાહિબમાં સંપન્ન કરાશે. આ સાથે મહાપંચાયત યોજાશે અને સંયુક્ત મોર્ચાની તારીખ પણ નક્કી કરાશે.
તેઓએ શહેરના લોકોને કેન્ડલ માર્ચમાં પરિવાર સહિત ભાગ લેવાની અપીલ કરી છે. તેઓએ કહ્યું કે કેન્દ્ર સરકારની વિરોધમાં રોષ વ્યક્ત કરવા માટે તેઓ 18 ફેબ્રુઆરીએ કાળા બકરા પાસેના ગામ નિઝામદીનપુરમાં બપોરે 12-4 સુધી રેલ રોકશે. કિસાન શાંતિમય રીતે રેલ્વે ટ્રેક પર બેસીને વિરોધ દેખાડશે. આ સમયે એમ પણ કહેવાયું છે કે પ્રવાસી ભારતીય દતાર સિંહ સંધવાલે કહ્યું કે કેન્દ્ર સરકાર જો ખેડૂત વિરોધી કાયદા પરત નહીં લે તો દોઆબાથી 300 ગાડીઓનો કાફલો દિલ્હી કૂચ કરશે અને આંદોલન ને વધુ ઉગ્ર બનાવશે.
Saturday, May 18