કોંગ્રેસના નેતા મણિશંકર ઐયરે નિવેદન આપ્યું છે કે જયારથી કાશ્મીરમાં કલમ 370 અને કલમ 35A રદ થઈ ત્યારથી સમસ્યાઓ વધી ગઈ છે જેથી હવે આ મામલે ફરી ચર્ચા થવી જરૂરી છે.
કોંગ્રેસના નેતા મણિશંકર ઐયરે કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં સમસ્યાઓ છે. તેમના ઉકેલ માટે કલમ 370 અને કલમ 35A પર ચર્ચા થવી જોઈએ. જણાવી દઈએ કે, ઐયર હાલ દિલ્હીમાં છે. અહીં તેમણે પત્રકારો સાથે વાત કરી હતી
જ્યારે પત્રકારોએ ઐય્યરને જમ્મુ-કાશ્મીર વિશે સવાલ પૂછ્યા ત્યારે તેમણે કહ્યું કે દરેક બાબતથી સ્પષ્ટ છે કે જમ્મુ-કાશ્મીરમાં સમસ્યાઓ છે. અહીંની સમસ્યાઓના ઉકેલની શરૂઆત કલમ 370 પર ચર્ચા કરીને કરી શકાય છે. તેમણે કહ્યું કે અનુચ્છેદ 370 પર ચર્ચા થવી જોઈએ અને બધાએ સહમત થવું જોઈએ. આ સાથે અનુચ્છેદ 35A પર પણ ચર્ચા થવી જોઈએ અને સર્વસંમતિથી નિર્ણય લેવો જોઈએ કે આ કલમો નાબૂદ કરવી જોઈએ કે રાખવી જોઈએ.