કોમેડિયન રાજૂ શ્રીવાસ્તવ નું નિધન થઈ ગયું છે,ગત તા.10 ઓગસ્ટના રોજ રાજુ શ્રીવાસ્તવ જીમમાં વર્કઆઉટ કરતી વખતે બેભાન થઈ ગયા હતા. ત્યારથી તે સતત ૪૦ દિવસથી વેન્ટિલેટર પર હતા, ચાહકો અને પરિવાર તેના સાજા થવા માટે સતત પ્રાર્થના કરી રહ્યા હતા પણ તેઓની સતત તબિયત બગડતી જતી હતી અને આજે નિધન થયું હતું આ દુઃખદ ઘટના ને લઇ તેમના પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે અને ચાહકોમાં શોકની લાગણી પ્રસરી ગઇ છે.
58 વર્ષીય રાજુનું આજે સવારે નિધન થયુ હતું તેઓની 10 વર્ષમાં ત્રણ વાર એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. 10 વર્ષ પહેલાં મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં, સાત વર્ષ પહેલાં મુંબઈની લીલાવતી હોસ્પિચલમાં એન્જિયોપ્લાસ્ટી થઈ હતી. ત્યારબાદ 10 ઓગસ્ટે ત્રીજીવાર એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી.
જીમમાં એટેક આવ્યા બાદ કોમા માં રહેલા રાજુ અંગે હોસ્પિટલના ડૉક્ટરે સલાહ આપી હતી કે રાજુ ભલે પ્રતિક્રિયા ના આપે, પરંતુ તે આસપાસનો અવાજ સાંભળે છે. જો તેમની કોઈ પ્રિય વાત કે અવાજ તે સાંભળશે તો મગજ વધુ સક્રિય થશે. રિકવરીમાં સરળતા રહેશે.
પરિવારને લાગ્યું કે રાજુ બોલિવૂડ અમિતાભ બચ્ચનના ફેન છે અને તેમનો અવાજ ગમે છે. પરિવારે બિગ બીની ઓફિસમાં ફોન કરીને કહ્યું ત્યારે અમિતાભે કહ્યું કે રાજુને એડમિટ કરવામાં આવ્યા ત્યારથી તેમણે ફોન પર મેસેજ મોકલ્યા છે. પરિવારે ફોન જોયો તો અમિતાભના 10 મેસેજ વાંચ્યા વગરના હતા. પરિવારે પછી બિગ બીને વિનંતી કરી કે તે આ જ મેસેજ ઑડિયોમાં મોકલે, જેથી રાજુને સંભળાવી શકાય.
અમિતાભ બચ્ચનને ડૉક્ટરે જે વાત કહી હતી, તે પણ કહેવામાં આવતા માત્ર પાંચ મિનિટની અંદર બિગ બીએ એક ઑડિયો મેસેજ મોકલ્યો હતો આ મેસેજથી રાજુ ની બૉડીમાં મૂવમેન્ટ વધી હતી. જોકે, બ્રેન રિસ્પોન્સ આપતું ન હતું
રાજુ શ્રીવાસ્તવનો જન્મ 25 ડિસેમ્બર, 1963માં કાનપુરમાં મધ્યમવર્ગીય પરિવારમાં થયો હતો. રાજુને નાનપણથી કોમેડિયન બનવાની ઈચ્છા હતી.
રાજુએ 1988માં ફિલ્મ ‘તેઝાબ’માં નાનો રોલ કર્યો હતો. ત્યાર બાદ ‘મૈંને પ્યાર કિયા’, ‘બાઝીગર’, ‘બોમ્બે ટુ ગોવા’માં નાના-મોટા રોલ કર્યા હતા.
રાજુએ 1994માં ટીવી શો ‘ટી ટાઇમ મનોરંજન’માં કામ કર્યું હતું. રાજુને ખરી ઓળખ ‘ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ’થી મળી હતી. રાજુ પછી ‘ગજોધર’થી લોકપ્રિય થયો હતો. રાજુ છેલ્લે 2017માં ફિલ્મ ‘ફિરંગી’માં જોવા મળ્યો હતો. ટીવીની વાત કરીએ તો તેણે છેલ્લે 2014માં ‘ગેંગ્સ ઑફ હસીપુર’ શોને હોસ્ટ કર્યો હતો.
રાજુએ 1993માં લખનઉની શિખા સાથે લગ્ન કર્યા હતા તેમને બે સંતાન અંતરા તથા આયુષ્માન છે રાજુની આકસ્મિક વિદાયથી તેમના પરિવાર અને ચાહકોમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે.