દેશમાં કોરોના સંક્રમણની સારવારને લઈને હવે ઘણા નવા સંશોધન બહાર આવી રહ્યા છે. દેશમાં લાંબા સમયથી પ્લાઝ્મા થેરેપી જે કોરોના સંક્રમણ સામે લડવામાં અસરકારક હોવાનું માનવામાં આવી, જે બાદ હવે રેમડેસિવીર પણ કોરોનાની સારવારમાંથી હટાવવાનું માનવામાં આવી રહ્યું છે.
કોરોનાની સારવારમાંથી પ્લાઝ્મા થેરેપીને દૂર કરવાના નિર્ણય પછી, ટૂંક સમયમાં જ રેમડેસિવીર ઇન્જેક્શનને દૂર કરવાનો નિર્ણય લઈ શકાય છે. દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલનાં અધ્યક્ષ ડો.ડી.એસ.રાણાએ મંગળવારે કહ્યું હતું કે, કોરોના ટ્રીટમેંટમાંથી રેમડેસિવીરને પણ જલ્દી જ દૂર કરવાની વિચારણા ચાલી રહી છે.
કોરોનાગ્રસ્ત દર્દીઓ પર તેની સારી અસર વિશે કોઈ પુરાવા બહાર આવ્યા નથી. તેથી, આ દવા અસરકારક ગણી શકાય નહીં. આઇસીએમઆરની સલાહથી કોરોના ટ્રીટમેન્ટમાંથી પ્લાઝ્મા થેરાપીને દૂર કરવામાં આવી છે અને હવે એવી શક્યતા છે કે રેમડેસિવીર પણ દૂર થઈ શકે.
કોરોના સંક્રમણ દરમિયાન પ્લાઝ્મા થેરેપી અને રેમડેસિવીર બંનેની માંગ એટલી વધી ગઈ હતી કે કેન્દ્ર સહિત અનેક રાજ્ય સરકારોએ કોરોના ચેપગ્રસ્ત લોકોને પ્લાઝ્મા દાન કરવા જાગૃતિ અભિયાન શરૂ કર્યું હતું. બીજી તરફ, રેમડેસિવીરની માંગ એટલી વધારે હતી કે બ્લેક માર્કેટમાં આ દવાની માંગ વધી ગઈ હતી, તેના કાળા બજારને રોકવા માટે સરકારે કડક નિર્ણય લેવો પડ્યો હતો અને કંપનીએ પણ તેની માંગને પહોંચી વળવા ઉત્પાદન વધારવા પર ભાર મૂકવો પડ્યો હતો. કંપની રેમડેસિવીરના ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.