નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્વારા ફેબ્રુઆરી માટે કોરોના વાયરસ સંબંધિત ની નવી ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. આ ગાઇડલાઇન 1 થી 28 ફેબ્આરી સુધી અમલમાં રહેશે. ગૃહમંત્રાલયે કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. નવી માર્ગદર્શિકા મુજબ હવે 50 ટકાથી વધુ લોકોને સિનેમા હોલમાં બેસવા દેવામાં આવશે. આ સાથે સામાન્ય લોકો પણ સ્વિમિંગ પૂલમાં જઈ શકશે.
Union Home Ministry issues an order to enforce guidelines for surveillance, containment & caution which will be effective from Feb 1 to Feb 28; states/UTs mandated to continue to enforce containment measures & SOPs on various activities & COVID appropriate behaviour. pic.twitter.com/owHbYZVgmt
— ANI (@ANI) January 27, 2021
“>
કેન્દ્રીય ગૃહમંત્રાલયે કોવિડ-19 દેખરેખ, નિયમન અને સાવધાની માટે નવા દિશા-નિર્દેશ લાગૂ કરવાનો આદેશ આપ્યો છે. જે 1 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી પ્રભાવી રહેશે. ગૃહમંત્રાલયે જાહેર કરેલા નવા દિશાનિર્દશે મુજબ જોઈએ તો, સિનેમા હોલમાં હવે 50 ટકાથી વધારે લોકોના બેસવાની મંજૂરી આપી છે. આ સાથે જ સ્વિમીંગ પુલમાં પણ સામાન્ય લોકો જઈ શકશે.
કેન્દ્ર તરફથી કહેવાયુ છે કે, રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશો અલગ અલગ ગતિવિધિઓ અને કોવિડ સારવાર માટે અને આ વાયરસને ફેલાતો રોકવા માટે આ એસઓપી લાગૂ કરવી અનિવાર્ય છે. સિનેમા હોલ માટે માહિતી અને પ્રસારણ વિભાગ અલગથી નવી એસઓપી જાહેર કરશે.
કેન્દ્રની સૂચના મુજબ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશની એસઓપી અનુસાર સામાજિક અને ધાર્મિક, રમતગમત, મનોરંજન, શૈક્ષણિક, સાંસ્કૃતિક કાર્યક્રમોની મંજૂરી આપવામાં આવશે. સ્વિમિંગ પુલ અંગે યુવા બાબતો અને રમત મંત્રાલય દ્વારા માનક સંચાલન પ્રક્રિયા જારી કરવામાં આવશે. આ સિવાય આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલય ગૃહ મંત્રાલયની સલાહ સાથે નિર્ણય લેશે.
પેસેન્જર ટ્રેનની અવર જવર, હવાઈ સફર, મેટ્રો રેલ, સ્કૂલ, ઉચ્ચ શિક્ષણ સંસ્થા, હોટલ અને રેસ્ટોરંટ, શોપિંગ મોલ, મલ્ટિપ્લેક્સ, એન્ટરટેનમેંટ પાર્ક, યોગ કેન્દ્ર અને જિમ વગેરેને ળઈને સમય સમયે અપડેટેડ એસઓપી જાહેર કરવામાં આવશે. આ એસઓપીનું કડકાઈ સાથે પાલન કરાવવાની જવાબદારી પ્રશાસનને રહેશે.
રાજ્યોની અંદર અને એક રાજ્યમાંથી બીજા રાજ્યની અવરજવર પર કોઈ પણ પ્રકારના પ્રતિબંધો રહેશે નહીં. આ સાથે જ કેન્દ્ર તરફથી 65 વર્ષથી વધારે ઉંમરના લોકો, અન્ય બિમારીથી પીડિત લોકો, ગર્ભવતી મહિલાઓ, 10 વર્ષથી ઓછી ઉંમરના લોકોના નાના બાળકોને ખાસ તકેદારી રાખવાની સલાહ આપવામાં આવી છે.