હાલ માં ચાલી રહેલા બજેટ સત્ર દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારણણે બેંકના ખાનગીકરણ અંગે કરેલી જાહેરાત બાદ બેન્કકર્મીઓ માં અસંતોષની લાગણી ફેલાઇ છે અને તેના વિરોધ માં આગામી તા. 15 અને 16 ફેબ્રુઆરી ના રોજ 2 દિવસ ની બેંક હડતાળ નું યૂનાઈટેડ ફોરમ ઓફ બેંક યૂનિયન્સ દ્વારા એલાન કરતા કુલ 9 યૂનિયને પોતાનો ટેકો જાહેર કરતા બેન્ક નું કામકાજ ઠપ્પ થશે.
બેંક કર્મચારીઓએ 2 દિવસ ની હડતાળ જાહેર કરી છે. આ સિવાય બેંક અન્ય 2 દિવસ એટલે કે બીજો શનિવાર અને 13 તારીખે તો રવિવાર એટલે કે 14 તારીખે પણ બંધ રહેશે. આમ સળંગ 4 દિવસ 13-16 તારીખ સુધી બેંકો બંધ રહશે. વિગતો મુજબ હૈદરાબાદ ખાતે યોજાયેલી યૂનાઈટેડ ફોરમ ઓફ બેંક યૂનિયન્સની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં સરકાર દ્વારા બેંકોના ખાનગીકરણ કરવાને મુદ્દે વિરોધ વ્યક્ત કરવા કર્મચારીઓએ 15 અને 16 તારીખે હડતાળ નું એલાન આપ્યું છે.જેમાં બેંક કર્મચારીઓના કુલ 9 યૂનિયન સામેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે નાણામંત્રી નિર્મલા સીતારણણે બેંકના ખાનગીકરણ જાહેરાત હાલમાં બજેટ રજૂ કરતા સમયે કરી હતી.
આઈડીબીઆઈ અને એલઆઈસની વચ્ચે લેનલેનના માધ્યમથી વર્ષ 2019માં જ ખાનગીકરણની શરૂઆત થઈ હતી. યૂનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સમાં મહાસચિવે કહ્યું કે બેંકના ખાનગીકરણને લઈને સરકારે લીઘેલા નિર્ણયનો અમે વિરોધ કરીએ છીએ. આ સમયે બજેટમાં પણ બેંકિંગ સંબંધિત ક્ષેત્રોમાં માણામંત્રીએ લીધેલા નિર્ણયો પર ચર્ચા કરાઈ હતી. નાગરિકોને આ અઠવાડિયે બેંકના કામકાજ પૂરા કરી લેવાના રહેશે. નહીં તો તેઓને માટે મુશ્કેલી આવી શકે છે. તો આજે જ તમારા તમામ કામનું પ્લાનિંગ કરો તે જરૂરી છે.