નવી દિલ્હીઃ પેટ્રોલ-ડીઝલ સહિત જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવમાં અસહ્ય ભાવવધારાથી ગરીબ અને મધ્યમવર્ગ હેરાન-પરેશાન છે ત્યારે કેન્દ્ર સરકાર તેના સરકારી કર્મચારીઓને હોળીની ભેટ આપવાની તૈયારી કરી રહી છે. કેન્દ્ર સરકાર અંદાજે 52 લાખ કર્મચારીઓ અને 60 લાખ સેવાનિવૃત્ત કેન્દ્રીય સરકારી કર્મચારીઓને નરેન્દ્ર મોદી સરકાર ખૂબ જ જલ્દી હોળી ગિફ્ટ આપી શકે છે. મીડિયા રિપોર્ટ અનુસાર, આ કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં સારો એવો વધારો થઇ શકે છે. જો કે, અત્યાર સુધી સરકાર તરફથી કોઇ પણ જાતની ઓફિશીયલ જાહેરાત નથી કરવામાં આવી.
તમને જણાવી દઇએ કે, કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને ઘણા લાંબા સમયથી ડીએમમાં વધારો થવાની રાહ જોઇ રહ્યાં છે. કોરોના મહામારીના કારણે કર્મચારીઓના DA માં વધારો નથી થઇ શક્યો.
જો નરેન્દ્ર મોદી સરકાર તરફથી DA માં વધારો કરવામાં આવે છે, તો કેન્દ્રીય કર્મચારીઓ માટે આ મોટી ખુશખબરી હશે. કર્મચારીઓનો DA વધીને 25 ટકા થઇ જશે. તમે એવું વિચારી રહ્યાં હશો કે, આખરે આવું કેમ થાય છે, તો અહીં અમે તમને જણાવી દઇએ કે, આ વખતે DM માં 4 ટકા, ગયા વર્ષનો DA બાકી રહેલો 4 ટકા અને તમામ કર્મચારીઓને 17 ટકા DA આપવામાં આવી રહ્યો છે. આ પ્રકારે તમામને મિલાવી દેવામાં આવે તો કુલ DA વધીને 25 ટકા થઇ જશે.
બીજી બાજુ કેન્દ્ર સરકારે તાજેતરમાં જ બજેટ દરમ્યાન મોટી જાહેરાત કરી છે. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, ‘સરકારી કર્મચારીઓના મોત પરના પરિવારવાળાઓને પેન્શનના રૂપમાં હવે 1.25 લાખ રૂપિયા મળશે. અત્યાર સુધી આ સીમા વધારેમાં વધારે 45 હજાર રૂપિયા હતી.’