હાલ માં નોટબંધી ના અફડા તાફળી ના માહોલ માં સરકાર રોજ નવા નિયમો લાગું કરી રહી છે ત્યારે કોંગ્રેસ પ્રવક્તા અને હરિયાણાના ધારાસભ્ય રણદીપ સુરજેવાલાએ મોદી સરકાર પર પ્રહાર કરતાં ભાજપ પર પક્ષની લખનઉ કચેરીએ રૂ. 3 કરોડ રોકડા મોકલવાનો આક્ષેપ કર્યો છે.
સુરજેવાલાએ જણાવ્યું હતું કે મોદીજી ચા સુધી જ ડિજિટલ પેમેન્ટસની વાતો કરી રહ્યા છે ત્યારે પાર્ટીની ઓફિસે રૂ. 3 કરોડ રોકડા કેમ મોકલ્યા ?
સુરજેવાલાએ જણાવ્યું હતું કે પોલીસે ગાઝિયાબાદમાં બે કારમાં રૂ. 3 કરોડ પકડી પાડ્યા હતાં. આ કારને પોલીસ સ્ટેશને લઈ જવાઈ હતી. ત્યાબાદ ભાજપના નેતા અશોક મોંગ અમિત શાહનો પત્ર લઈ દોડી ગયા હતાં. પત્રમાં લખ્યું હતું કે ભાજપના વડામથકેથી આ રૂપિયા લખનૌ ઓફિસે મોકલાયા છે.
સુરજેવાલાએ મોદી સરકાર પર અપ્રમાણિકતાનો આક્ષેપ કર્યો હતો.
હાલ માં જ્યારે ચલણી નોટો પકડવાના બનાવો બની રહ્યા છે ત્યારે નેતાઓ પણ તેમાથી બાકાત નથી તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.

Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.