ભારતીય સરહદ ઉપર ઉબડીયા કરતા ચીને દગો કરીને ખુબજ ઓછા હથિયાર વગર ના ભારતીય જવાનો ઉપર કાંટાળા ડંડા થી હુમલો કરતા થયેલી અથડામણ માં પોતાની પાસે કોઈજ બચાવ નું સાધન નહિ હોવાછતાં પણ પોતાની ત્રણ ઘણા ચીનાઓ સામે ખુબજ ઓછા ભારતીય જવાનો એ ચીનાઓ ને દોડાવી દોડાવી ને માર્યા હતા અને 45 ચીની સૈનિકો ને મારી નાખ્યા હતા સામે 20 ભારતીય જવાનો શહીદ થયા હતા. આ હકીકત રશિયા એ વિશ્વ સમક્ષ મુકતા હવે સાચી હકીકત બહાર આવી છે અને ચીન ની ફજેતી થઈ છે. ખરેખર આ નવું ભારત છે અને ચીન ને ભારે પડી શકે છે.
લદ્દાખમાં ગલવાન ખીણ માં 15 જૂને ચીન અને ભારતીય જવાનો વચ્ચે ખેલાયેલા જંગ માં કેટલા ચીની સૈનિકો માર્યા ગયા ? તે મામલે રશિયાની સમાચાર એજન્સી તાસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તાસે જણાવ્યું હતું કે, આ હિંસામાં ઓછામાં ઓછા 45 ચીની સૈનિકો માર્યા ગયા હતાં. આ હિંસામાં 20 ભારતીય જવાનો શહીદ થયા હતાં. રશિયાની સમાચાર એજન્સીના આ દાવા બાદ દુનિયામાં ચીન ની ફજેતી થઈ છે.
રશિયા ની સમાચાર એજન્સીનો આ ખુલાસો પણ બરાબર એવા જ સમયે કર્યો છે કે જ્યારે બંને દેશોની સેના પેંગોગ લેક પરથી પોતાના સૈનિકોને પરત ખસેડવા સહમત થઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે લદ્દાખમાં LAC પર ભારત અને ચીન છેલ્લા 9 મહિનાથી સામ સામે છે. બંને દેશોએ સરહદે હાલમાં 50-50 હજાર જવાનો ખડક્યા છે. અગાઉ ચીને ભારત સાથેની બેઠકમાં જણાવ્યું હતું કે, ગલવાન ખીણમાં થયેલા ઘર્ષણમાં તેના 5 જવાનો માર્યા ગયા હતાં. તેમાં ચીની સેનાનો એક કમાંડિંગ ઓફિસર પર શામેલ હતો. ચીન ભલે હાલ પાંચ જ સૈનિકો માર્યા ગયાની વાત કરી રહ્યું હોય પણ અમેરિકા અને ભારતની ગુપ્તચર એજન્સીઓનું કહેવું છે કે ચીનના 40 થી વધુ સેનિકો આ અથડામણમાં માર્યા ગયા હતાં.
ગલવાનમાં પોતાના સૈનિકો માર્યા જવાને લઈને ચીન અત્યાર સુધીમાં સાચો આંકડો છુપાવી રહ્યું છે. સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના જણાવ્યા પ્રમાણે, તે સમયે ચીન અને અમેરિકા વચ્ચે એક મહત્વની બેઠક થવાની હતી. જેને ધ્યાનમાં રાખીને ચીન આ ઘટનાને ઓછો આંકડો બતાવવા પ્રયાસ કરી રહ્યું હતું. આ રણનીતિને અંતર્ગત જ ચીને પોતાના એક પણ સૈનિકની સંખ્યા જાહેર કરી ન હતી.
હાલ માં ભારતીય ફૌજ ની તાકાત નું અનુમાન લગાવવું અન્ય દેશો માટે મુશ્કેલ છે કારણ કે ભારતીય જવાનો માં ભોમ માટે લડે છે.
Saturday, May 18