છત્તીસગઢના દંતેવાડામાં આજે બુધવારે નક્સલી હુમલામાં 10 જવાન શહીદ થયા છે.
જેમાં એક નાગરિકનું પણ મોત થયું છે. આ જવાન તેમના સાથીઓને લેવા ખાનગી વાહનમાં અરનપુર જઈ રહ્યા ત્યારે નક્સલીઓએ IED બ્લાસ્ટ કર્યો હતો. જવાબી કાર્યવાહીમાં કેટલાક નક્સલવાદીઓ પણ ઘાયલ થયા છે. મામલો અરનપુર પોલીસ સ્ટેશન વિસ્તારનો છે.
આ ઘટનાની પુષ્ટિ કરતા મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું છે કે આ ખુબજ દુઃખદ છે. શહીદ થયેલા જવાનોના પરિવારો પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું. નક્સલવાદીઓને કોઈપણ કિંમતે બક્ષવામાં આવશે નહીં. અમે નક્સલવાદને ખતમ કરીને રહીશું.