ત્તીસગઢના માઓવાદી પ્રભાવિત સુકમા જિલ્લામાં પોલીસે ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ સાથેની અથડામણમાં બે માઓવાદીઓને ઠાર કર્યાનો દાવો કર્યો છે. વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યો છે. પોલીસે મરનારા માઓવાદીઓની સંખ્યા વધવાથી ઈન્કાર કર્યો છે.
બસ્તરના આઈજી સુંદરરાજ પીએ બીબીસીને જણાવ્યું હતુ કે સુરક્ષાકર્મીઓ ભીજી પોલીસ સ્ટેશનના દંતેશપુરમ વિસ્તારમાં માઓવાદીઓ વિરુદ્ધ ઓપરેશન માટે નીકળ્યા હતા. સવારે દંતેશપુરમ વિસ્તારમાં માઓવાદીઓના એક જૂથ સાથે તેમની અથડામણ થઈ હતી.
પોલીસે એન્કાઉન્ટર સ્થળ પરથી એક મહિલા સહિત બે લોકોના મૃતદેહ કબજે કર્યા છે. માર્યા ગયેલા એક માઓવાદી એલઓસી કમાન્ડર ઈરા પર આઠ લાખનું ઈનામ હોવાનું સામે આવ્યું છે.
પોલીસે ઘટનાસ્થળેથી ઘણા હથિયારો મળી આવ્યા હોવાનો પણ દાવો કર્યો છે. આ વિસ્તારમાં હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે.
જિલ્લા એસપી સુનીલ શર્માએ જણાવ્યું હતું કે, “એક કમાન્ડર અને ડેપ્યુટી કમાન્ડરના મૃતદેહ મળી આવ્યા છે. કેટલાય માઓવાદીઓને ગોળીથી ઈજાઓ થઈ છે. આ વિસ્તારમાં પહેલાથી જ હાજર CRPF, CoBRA બટાલિયન અને DRGના જવાનોએ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે.” ”
એક દિવસ અગાઉ પણ છત્તીસગઢ-તેલંગાણા સરહદ પર માઓવાદીઓ સાથેની અથડામણમાં બે માઓવાદીઓ માર્યા ગયા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળેથી અનેક હથિયાર જપ્ત કર્યાનો દાવો કર્યો છે. જિલ્લાના એસપી સુનિલ શર્માએ જણાવ્યું કે, ઘટના સ્થળેથી એક કમાન્ડર અને એક ડિપ્ટી કમાન્ડરનો મૃતદેહ મળ્યો છે. તે ઉપરાંત અનેક માઓવાદીઓ ગોળી વાગવાના કારણે ઈજાગ્રસ્ત થઈ ગયા છે. વિસ્તારમાં પહેલાથી હાજર સીઆરપીએફ, કોબરા બટાલિયન અને ડીઆરજી જવાનોએ મળીને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે.