જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના હળવા આંચકા આવતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો.
રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.7 નોંધાઇ હતી. જોકે, સદનસીબે કોઈ જાનહાનિ કે નુકસાન થયાના અહેવાલ નથી.
જમ્મુ-કાશ્મીરમાં મોડી રાત્રે 12:37 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેની તીવ્રતા 3.7 માપવામાં આવી હતી.
અહીં ભૌગોલિક રચના એવી છે કે જમ્મુ અને કાશ્મીર ટેકટોનિક પ્લેટ પર ટકે છે, જ્યાં ભારે દબાણ સર્જાય તેવા સંજોગોમાં ભૂકંપ આવે છે.
જો પાકિસ્તાનથી ઉત્તરાખંડમાં 6ની તીવ્રતાનો ભૂકંપ આવે તો તેની અસર જમ્મુ-કાશ્મીર પર પડી શકે છે.