હાલ મહારાષ્ટ્ર માં કોરોના ની સ્થિતિ હોવાછતાં કેટલાક ધંધા ને શરતી પરમિશન અપાઈ છે અને તેના ભાગરૂપે મહારાષ્ટ્ર સરકાર તરફથી પરમિશન બાદ મોટા ભાગના કલાકારોએ ધીરેધીરે શૂટિંગ ચાલુ કર્યુ છે. ત્યારે ‘શુભારંભ’ શોની એક્ટ્રેસ મહિમા મકવાણા પણ શૂટિંગ માં વ્યસ્ત છે તેવે સમયે તેને અચાનક છાતીમાં દુખાવો થયો છતાંપણ તેણે કામ ચાલુ રાખ્યું તે વાત જ્યારે આજુબાજુના લોકોને ખબર પડી તો તે બધાએ તેને કોરોના પોઝિટિવ સમજીને અંતર બનાવી લેતા એક્ટ્રેસને દુઃખ થયું હતું મહિમાનું માનવું છે કે, કોરોના ની સ્થિતિમાં લોકોએ એકબીજાને સાથ અને સાંત્વના આપવી જોઈએ તેના બદલે લોકો જ્યારે દૂર ભાગે તે ખુબજ કમનસીબ છે, મહિમાએ શુક્રવારે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક સ્ટોરી શેર કરીને લખ્યું કે, શું કોરોનાએ આપણને એકબીજાથી દૂર કરી દીધા છે ? શું કોરોનાએ માનવતા છીનવી લીધી છે? આજે સવારે મને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો. છતાં હું કામ માટે નીકળી ગઈ. આ દુખાવો અચાનક વધી ગયો જેથી હું ડરી ગઈ. અને આ વાત જયારે શેર કરી તો લોકો એ મારાથી અંતર રાખી લીધું. આવા સમયે આપણે માનવતા અને દયાળુ ભાવની વધારે જરૂર હોય છે. જે લોકો તમારા ખરાબ સમયમાં સાથે છે તે બધાની સાથે હંમેશાં રહો તેમને મહત્ત્વ અને પ્રેમ આપો. આવા એક્શન શબ્દો કરતાં વધારે સંભળાય છે.
મહિમાએ પોસ્ટમાં આગળ કહ્યું કે, હાલ હું મારા ઘર પર છું અને આરામ કરી રહી છું. મને મારા રિપોર્ટની રાહ છે. આમ કોરોના ના વાયરસ બાદ ઘણુંબધું બદલાઈ ગયું છે અને મોત બાદ ની વિધિ થી લઈ માનવતા,સાથ,સગાઈ જેવી બાબતો ની વાતો કરતા માણસ ની સ્વાર્થવૃત્તિ ખુલ્લી પડી ગઈ હોવાનું લોકો મહેસુસ કરી રહ્યા છે.
Tuesday, May 14