નવી દિલ્લી તા 20 : નાણામંત્રી નાના વેપરીયો માટે લાયા છે રાહતના સમાચાર હવે નાના વેપારી જે પણ ડિજિટલ ટ્રાન્જેકશન થી પોતાનું પેમેન્ટ કરશે તેને ઓછો ટેક્સ ભરવો પડશે આ જાહેરાત ડિજિટલ ટ્રાન્જેકશન ને પ્રોત્સાહન આપવા માટે લેવામાં આવ્યું છે.હાલ માં બિઝનેસનું વાર્ષિક ટર્નઓવર બે કરોડ રૂપિયાથી ઓછું હોય તો ટર્નઓવરના ૮ ટકા લેખે નફાની ગણતરી કરીને તે મુજબ ટેકસ વસુલવામાં આવે છે. નાના કરદાતાઓ માટે આ પૂર્વધારણા આધારિત ટેકસ પદ્ઘતિ છે જેમાં તેમણે વિગતવાર હિસાબો રાખવાની જરૂર રહેતી નથી. તેમજ વેચાણના જે હિસ્સા માટે રોકડમાં પેમેન્ટ સ્વીકારાયું હશે તેના માટે નફાનો દર ૮ ટકા ગણાશે અને તે મુજબ ઊંચો ટેકસ વસૂલવામાં આવશે. સીબીડીટીએ જણાવાયું હતું કે, કેશલેસ અર્થતંત્ર બનાવવાના સરકારના મિશન માટે આ પ્રોત્સાહક જાહેરાત કરવામાં આવી છે અને તેની સાથે જ બિઝનેસ માટે બેન્કિંગ ચેનલ કે ડિજિટલ પદ્ઘતિથી ચુકવણી સ્વીકારવામાં આવશે તો નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭માં નફાનો દર કુલ ટર્નઓવરના ૮ ટકાના બદલે ૬ ટકા ગણવામાં આવશે. જે વેચાણ માટે ડિજિટલી પેમેન્ટ સ્વીકારવામાં આવશે તેમાં નફાનો દર ૬ ટકા ગણીને તે મુજબ ટેકસ વસૂલાશે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.