તામિલનાડુમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને તેને રીલેટેડ સર્વિસ કંપનીઓ પણ આવેલી છે અને જેની સંખ્યા ૬૦૦ છે અને તેમાં ૪ લાખ જેટલો સ્ટાફ પણ કામ કરે છે. આ બધુ જ બંધ રહેતા રાજયને મોટુ નુકસાન થયુ હતુ. રિટેઇલ્સ દુકાનો પણ બંધ રહેતા ૧૦૦ થી ર૦૦ કરોડનું નુકસાન થવા પામ્યુ છે. તામિલનાડુના મુખ્યમંત્રી જે.જયલલિતાનું અવસાન થતા ગઇકાલે સમગ્ર તામિલનાડુ બંધ રહ્યુ હતુ જેને કારણે રાજયને રૂ.૧પ૦૦ કરોડનું નુકસાન થયુ હોવાનુ માનવામાં આવે છે. રાજયમાં ૭ દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. જયલલિતાના માનમાં ઓટોમેટીવ પ્રોડકશન, આઇટી ઓફિસો, રિટેઇલ એસ્ટાબ્લીસમેન્ટ પણ સજ્જડ બંધ રહ્યા હતા. તામિલનાડુમાં ડઝનબંધ ઓટોમેટીવ ફેકટરીઓ આવેલી છે જે કાર, એસયુવી, લકઝરી કાર, ટ્રક, બસ, કન્સ્ટ્રકશનના સાધનો અને ટ્રેકટરોનું ઉત્પાદન કરે છે તે બધુ જ બંધ રહ્યુ હતુ. ફોર્ડ, હુન્ડાઇ, રેનો, નિશાન, બીએમડબલ્યુ, રોયલ ઇમ્પીલ્ડ, યામાહા, અશોક લેલેન્ડ વગેરે કંપનીઓ પણ બંધ રહી હતી. આ બધા બંધ રહેતા જ ૧૦૦૦ કરોડનું નુકસાન થયુ હોવાનુ કહેવાય છે.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.