દિલ્હી ચૂંટણીમાં મતગણતરી ચાલી રહી છે. પ્રાથમિક રૂઝાનોમાં આમ આદમી પાર્ટી 50 કરચતા વધારે બેઠકો પર આગળ ચાલી રહી છે. દિલ્હીમાં ત્રીજી વખત કેજરીવાલની સરકાર બનતી જોવા મળી રહી છે. આપના કાર્યાલયમાં જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે. મત ગણતરી વચ્ચે આપ દ્વારા વધુ એક કેમ્પેઈનની શરૂઆત કરી છે. જે છે રાષ્ટ્ર નિર્માણ…
આમ આદમી પાર્ટીના કાર્યાલય પર મંગળવારે એક નવું પોસ્ટલ લગાવવામાં આવ્યું છે. જેમાં લખવામાં આવ્યું છે કે, રાષ્ટ્ર નિર્માણ માટે AAP સાથે જોડાવા માટે મિસ કોલ કરો 9871010101. માનવામાં આવી રહ્યું છે કે, ભાજપના પગલે ચાલતા આપ હવે રાષ્ટ્ર નિર્માણને મુદ્દો બનાવશે અને આ માટે સરકાર બન્યા બાદ મોટી ઝૂંબેશ આદરવામાં આવશે.
જેની ઝલક આમ આદમી પાર્ટીના મેનિફેસ્ટોમાં પણ જોવા મળી હતી. આપના મેનિફેસ્ટો જાહેર કરતા મનિષ સિસોદિયાએ એલાન કર્યું હતું કે, જો સરકાર બની તો, સરકારી સ્કૂલોમાં શરૂ કરવામાં આવેલ હેપિનેસ કરિકુલમ અને એન્ટરપ્રેન્યોરશિપ કરિકુલમની સફળતા બાદ દેશભક્તિનો અભ્યાસક્રમ પણ સામેલ કરવામાં આવશે. .
ચૂંટણી પ્રચારમાં ભાજપે વારંવાર શાહીનબાગનો મુદ્દો ઉઠાવ્યો અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આતંકવાદી કહી દીધા. જેનો જવાબ કેજરીવાલે એવું કહીને આપ્યો કે, દિલ્હીની જનતા નક્કી કરશે કે હું આતંકવાદી છું કે કેમ?