દિલ્હીમાં ચૂંટાયેલી સરકાર દ્વારા જનતા ના હિત માટે પોતાની રીતે નિર્ણયો કરી શકશે નહીં કારણ કે મોદી સરકારે હવે લેફ્ટનન્ટ ગવર્નરને વધુ સત્તા આપતા રાષ્ટ્રીય રાજધાની રાજ્ય સરકાર (સુધારા) બિલ 2021 (જીએનસીટીડી બિલ 2021) ને રાજ્યસભા માં પસાર કરી દીધું છે
સાથે જ દિલ્હીમાં ઉપરાજ્યપાલની સત્તાઓને વધારનારું બિલ પાસ થઈ જતા અહીં મુખ્યમંત્રી નો પાવર ઘટી જશે.
આ બિલ અગાઉ લોકસભામાંથી પણ પસાર થઈ ચૂક્યું છે
મહત્વનું છે કે આદિલ્હીમાં ડેપ્યુટી ગવર્નર (એલજી) ને વધુ સત્તા આપતા બિલને આજે રાજ્ય સભાએ પણ મંજૂરી આપી દીધી હતી. આ અગાઉ 22 માર્ચે, આ બિલને લોકસભા દ્વારા પણ પસાર કરી નાખવામાં આવ્યું હતું. જોકે,લોકશાહી વિરુદ્ધ આ બિલનો દિલ્હીમાં શાસક આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સહિતના ઘણા પક્ષોએ વિરોધ કર્યો હતો પરંતુ તે કોઈ નું કાંઈ ચાલ્યું ન હતું.
આ વાત ને લઈ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બુધવારે ટ્વિટ કરીને કહ્યું કે, રાજ્યસભાએ જીએનસીટીડી સુધારણા બિલ પસાર કરી દીધું છે જે લોકશાહી માટે દુ:ખદ દિવસ છે. લોકોની શક્તિ પુન:સ્થાપિત કરવા માટે અમે આપણો સંઘર્ષ ચાલુ રાખીશું. ભલે ગમે તે અવરોધો આવે, અમે આપણું સારું કામ ચાલુ રાખીશું.
મોદી સરકાર ના આ પગલાં ને લઈ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ પણ પોતાનો વિરોધ કરતા જણાવ્યું કે, લોકશાહી માટે આજનો દિવસ દુ:ખદ છે. દિલ્હીની જનતા દ્વારા ચૂંટાયેલી સરકારના અધિકાર છીનવાઈ ગયા અને ઉપરાજ્યપાલને સોંપી દીધા અને ખેદ ની વાત તો એ છે કે લોકશાહીની હત્યા કરવા માટે લોકશાહી ના મંદિર એવા સંસદની પસંદગી કરવામાં આવી હતી,દિલ્હીના લોકો આ સરમુખત્યારશાહી સામે લડશે. ”
રાજ્યસભામાં બિલ અંગેની ચર્ચાના જવાબમાં ગૃહ રાજ્ય મંત્રી કિશન રેડ્ડીએ કહ્યું કે બંધારણ મુજબ દિલ્હી મર્યાદિત સત્તાઓ ધરાવતું કેન્દ્ર શાસિત ક્ષેત્ર છે. સુપ્રીમ કોર્ટે પણ પોતાના નિર્ણયમાં કહ્યું છે કે તે કેન્દ્રશાસિત પ્રદેશ છે. આ કાયદાના તમામ સુધારા કોર્ટના નિર્ણયને અનુરૂપ છે. તેમણે વધુમાં કહ્યું કે તેઓ દિલ્હીની જનતાને ખાતરી આપવા માંગે છે કે દિલ્હી સરકારના કોઈ અધિકારને ઓછો કરવામાં આવ્યો નથ વિપક્ષી નેતા મલ્લિકાર્જુન ખાર્ગે કહ્યું કે તેઓ સરકારના આ બિલ અંગેના આ જવાબથી સંતુષ્ટ નથી, તેથી તેઓએ ગૃહમાંથી વોકઆઉટ કર્યુ હતું.
આમ સરકાર ના આ પગલાં સામે ટીકા થઈ રહી છે.
Sunday, May 19