નવી દિલ્હીઃ દેશમાં રાંધણગેસના ભાવ આસમાને પહોંચવા છતાં તેનો વપરાશ સતત વધી રહ્યો છે. સામાન્ય વપરાશકારોની સાથે સાથે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓના રાંધણગેસમાં જંગી વધારો થયો છે. ઉલ્લેખનિય છે કે, ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને સરકાર દ્વારા મફત ગેસ કનેક્શન આપવામાં આવે છે.
માહિત ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL)ના આંકડા મુજબ દેશમાં રાંધણગેસ એટલે કે LPGના ભાવ સતત વધવા છતાં તેના વપરાશમાં વૃદ્ધિ જોવા મળી રહી છે. દેશમાં પાછલા ત્રણ મહિનામાં LPGનો વપરાશ 7.3 ટકા વધ્યો છે જેમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY)ના લાભાર્થીઓ દ્વારા પણ રાંધણગેસના વપરાશમાં લગભગ 20 ટકાનો વધારો નોંધાયો છે. ચાલુ નાણાંકીય વર્ષના આરંભિક ક્વાર્ટરમાં LPGના વપરાશમાં 23.2 ટકાની વૃદ્ધિ નોંધાઇ હતી.
નોંધનિય છે કે, ડિસેમ્બર 2020થી ફેબ્રુઆરી 2021 દરમિયાન રાંધણગેસનો એક સિલિન્ડર 175 રૂપિયા મોઘો થયો છે અને હાલ ભાવ 820 રૂપિયા એ પહોંચ્યો છે. ઉલ્લેખનિય છે કે, દેશમાં ઉજ્જવલા યોજના હેઠળ દેશમાં 8 કરોડ ગરીબ પરિવારોને મફત રાંધણગેસના સિલિન્ડર આપવામાં આવે છે અને તેમના દ્વારા LPGના વપરાશમાં 19.5 ટકાનો વધારો થયો છે.
ઉજ્જવલ યોજનાના લાભાર્થીઓ દ્વારા ડિસેમ્બર 2020થી ફેબ્રુઆરી 2021 દરમિયાન વાર્ષિક તુલનાએ LPGની વપરાશ 10,10,054 મેટ્રિક ટન નોંધાઇ છે જે પાછલા નાણાંકીય વર્ષના સમાન સમયગાળામાં 8,45,310 મેટ્રિક ટન હતી.
IOCL એ જણાવ્યુ કે, વાર્ષિક તુલનાએ કુલ ઘરગથ્થુ LPGના વેચાણમાં ચાલુ નાણાંકીય વર્ષ દરમિયાન 10.3 ટકાનો પ્રોત્સાહક વૃદ્ધિદર નોંધાયો છે. તમામ
તે ઉપરાંત કોરોના મહામારી દરમિયાન ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને ત્રણ મફત LPG સિલિન્ડર આપવામાં આવ્યા હતા. કુલ 9670 કરોડ રૂપિયા લાભાર્થીઓના બેન્ક ખાતાંમાં જમા કરાયા હતા.