દેશની કરન્સીમાંથી રૂ.2000ની નોટ બંધ કરવાના પરિપત્ર બાદ જે લોકો પાસે મોટી માત્રામાં કાળું નાણું છે તેવા લોકોના પગ નીચેથી ધરતી ખસી રહી છે જોકે,જેઓ પાસે મર્યાદિત માત્રામાં નોટ છે તેઓ માટે કોઈ ઇશ્યુ નથી.
આરબીઆઈની માર્ગદર્શિકા અનુસાર, બેંકો પાસે 2000ની નોટ બદલવા માટે અલગથી વિશેષ વિન્ડો હશે. જ્યાં તમે 2000ની નોટ સરળતાથી બદલી શકશો. એક અનુમાન મુજબ હાલમાં રૂ. 3 લાખ 62 હજાર કરોડ 2000ની નોટ ચલણમાં છે. હવે જોવાનું રહેશે કે કેટલી નોટો બેંકમાં પાછી આવે છે.
ઉલ્લેખનીય છે કે, 8 નવેમ્બર 2016ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરાત બાદ 500 અને 1000 રૂપિયાની તમામ નોટો ચલણમાંથી બહાર થઈ ગઈ હતી. આ કરન્સીના સ્થાને રિઝર્વ બેંકે 500 અને 2000 રૂપિયાની નવી નોટો બહાર પાડી હતી
હવે સવાલ એ છે કે, શું હવે 500 રૂપિયાની નોટ સૌથી મોટી હશે? જો આપણે ભારતીય રૂપિયાની સિસ્ટમ પર નજર કરીએ તો, 2000 રૂપિયાની નોટ આપણી નોટ સિસ્ટમમાં સૌથી મોટી કરન્સી હતી. આછા ગુલાબી રંગની આ નોટ 8 નવેમ્બર 2016 ના રોજ નોટબંધી પછી રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવી હતી. કરન્સી સિસ્ટમમાં આ સૌથી મોટો ફેરફાર હતો, કારણ કે આ પહેલા 1000 રૂપિયાની કરન્સી સૌથી મોટી ચલણમાં હતી. જ્યારે પીએમ મોદીએ નોટબંધી કરી ત્યારે તેમણે રૂ.500 અને રૂ.1000ની જૂની ચલણી નોટો બંધ કરી દીધી હતી.