કોરોના ના વધતા જતા સંક્રમણ ને અટકાવવા અને માનવ જિંદગીઓ બચાવવા માટે દેશ ના તમિલનાડુ રાજ્ય એ 30 જૂન સુધી લોકડાઉન વધારવાનો નિર્ણય કર્યો છે. અહીં તમામ જિલ્લાઓને 8 ઝોનમાં વહેંચવામાં આવ્યા છે. સરકારે કહ્યું છે કે રાજ્યમાં મુસાફરી માટે ઇ-પાસ જરૂરી રહેશે નહીં. આ દરમિયાન કાંચીપુરમ, ચેંગલાપટ્ટુ અને તિરુવલ્લુરના 7 ઝોન અને ચેન્નઈના 8 ઝોનમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ બંધ રહેશે.
દેશમાં કોરોના સંક્રમણના 1 લાખ 81 હજાર 827કેસ સામે આવી ચૂક્યા છે. રેકોર્ડ 8332 દર્દીઓ વધ્યા છે, 4303 લોકો સાજા થયા અને 205ના મોત થયા છે. એક દિવસ પહેલા જ 8140 દર્દીઓ વધ્યા હતા. રેકોર્ડ 11 હજાર 735 લોકો સાજા થયા હતા અને સૌથી વધુ 269 લોકોના મોત થયા હતા.સતત બીજા દિવસે 8 હજારથી વધુ દર્દીઓ વધ્યા. કોરોના દર્દીઓનો રિકવરી રેટ વધીને 47.40% થયો છે.બીજી તરફ દેશ ના અન્ય મધ્યપ્રદેશ અને પશ્વિમ બંગાળ સરકારે પણ વધતા કેસો ની ગંભીરતા ધ્યાને લઇ લોકડાઉન 15 જૂન સુધી યથાવત રાખવાનો નિર્ણય લીધો. પંજાબમાં લોકડાઉન 30 જૂન સુધી લાગૂ રહેશે. જોકે દરેક રાજ્ય કેન્દ્ર સરકારની નવી ગાઇડલાઇન પ્રમાણે પ્રતિબંધોમાં છૂટછાટ આપશે. દેશમાં લોકડાઉનનો પાંચમો તબક્કો 30 જૂન સુધી લાગૂ રહેશે. આ દરમિયાન કન્ટેનમેન્ટ ઝોનમાં કોઇ છૂટ મળશે નહિ. આમ દેશ માં જેતે રાજ્ય ની સ્થિતિ અનુરૂપ રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર નિર્ણય લેવા માટે બંધાયેલા હોય કોરોના ની સ્થિતિ મુજબ નિર્ણય લઈ રહ્યા છે પરંતુ એક વાત ચોક્કસ છે કે કોરોના આગળ વધ્યો છે ઘટયો બિલકુલ નથી.
Saturday, May 18