દેશ માં મોટાભાગ ના રાજ્યો માં કોરોના ની સ્થિતિ હાલ કાબુ હેઠળ છે અને કેસ નહિવત થઈ ગયા છે અને માંડ ધંધા-નોકરી-રોજગાર પૂર્વવત થઈ રહયા છે ત્યારે દેશ ના કેરળ માં કોરોના નો વિસ્ફોટ થતા સમગ્ર દેશ માં ત્રીજી લહેર અહીં થી પ્રસરવાની શકયતા ઉભી થઇ છે, જો આવું થશે તો ભયંકર હદે કોરોના વકરી જશે.
કેરળ ના સાત જિલ્લા એર્નાકુલમ, ત્રિશુર, કોઝીકોડ, કલક્કડ, કોલ્લમ,મલપ્પુરમ અને કોટ્ટાયમમાંથી દૈનિક બે હજારથી વધુ કોરોના ના નવા કેસ નોંધાઇ રહયા છે જે ખુબજ ચિંતા નો વિષય છે હાલ માં છેલ્લા છ દિવસ માંજ 1 લાખ 30 હજાર કોરોના ના કેસ નોંધાતા ભારે દહેશત અને ચિંતા ઉભી થઇ છે, અહીં જે ઝડપ થી કોરોના નું સંક્રમણ ફેલાઈ રહ્યુ છે તે જોતા વેકશીન પણ કારગત નહિ હોવાનું જણાય રહ્યું છે ત્યારે જો હવે આ સંક્રમણ કેરળ ની સીમાઓ પાર કરી દેશ ના અન્ય રાજ્યો સુધી પ્રસરશે તો કોરોના ની ત્રીજી લહેર નજીક હોવાનું જણાય રહ્યું છે.
નોંધનીય છે કે ગતવર્ષે કોરોનાની પ્રથમ લહેર સમયે સંક્રમણને નિયંત્રણમાં રાખવા બદલ સમગ્ર દેશ માં કેરળની ચોતરફે પ્રશંસા થઈ હતી. પણ હવે સ્થિતિ તદ્દન વિપરીત થઈ ગઈ છે.વર્તમાન સમયમાં દેશના મોટાભાગના રાજ્યોમાં કોરોનાની બીજી લહેર ધીમી પડી છે ત્યારે કેરળમાંથી કોરોનાના આવી રહેલા આંકડા ખૂબ જ ચિંતાજનક બની ગયા છે, દેશમાં કોરોનાની ત્રીજી લહેરનું એપી સેન્ટર બને તે તરફ જઈ રહ્યું છે.
શુક્રવારે ફરી એક વખત કોરોનાના કેસ 32 હજારથી વધારે નોંધાયા છે. સૌથી વધારે ચિંતાજનક વાત એ છે કે અહીં પોઝિટિવિટી રેટ વધીને 19.22 થઈ ગયો છે. દેશમાં જ્યારે કોરોનાની બીજી લહેર 20 મેના રોજ તેની ચરમસીમાએ હતી ત્યારબાદ પ્રથમ વખત પોઝિટિવિટી રેટ આટલો ઉંચો રહ્યો છે. કોરોનાના ભયજનક આંકડાને પગલે છેવટે રાજ્ય સરકારે રવિવારે સંપૂર્ણ લોકડાઉન કરવાનો નિર્ણય કર્યો છે. કેરળમાં સતત વધી રહેલા કોરોનાના આંકડા અનેક પ્રશ્નો ઉભા કરી રહ્યા છે. પહેલો પ્રશ્ન એ થાય છે કે શું કોરોના સામેની લડાઈમાં કેરળ મોડલ નિષ્ફળ નિવડ્યું છે? બીજો પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે જ્યારે દેશના અનેક રાજ્યોમાં કોરોના નહીંવત થઈ ગયો છે ત્યારે કેરળ માં છેલ્લા 6 દિવસમાં 1 લાખ 30 હજાર કેસ સામે આવતા દેશ ના આરોગ્ય વિભાગ માં ચિંતા નો માહોલ છે અને પરિસ્થિતિ ઉપર નજર રાખી પગલાં ભરવામાં આવી રહયા છે.