ભારતમાં જીવલેણ કોરોના મહામારીની બીજી લહેર ભંયકર સ્વરૂપ ધારણ કરી ચૂકી છે. એક બાજુ શ્રમિકો અને મંજૂરો પોતાના વતન કે ઘરે પરત ફરવા પ્રયત્ન કરી રહ્યા છે તો બીજી બાજુ ધનિકો પણ ભારતમાંથી પલાયન કરી વિદેશમાં જવા અધીરા થયા છે. હવે તો ધનિક લોકોને પણ કોરોનાનો ડર વધારે સતાવી રહ્યો છે.
દિલ્હીમાં કોરોનાના વધી રહેલા કેસોના કારણે માત્ર કામદારો જ દિલ્હી છોડીને ભાગી નથી રહ્યા પણ ધનિકો પણ દિલ્હી છોડીને ભાગી રહ્યા છે. ફરક એટલો છે કે, કામદારો અથડાતા-કૂટાતા પોતાના વતન પહોંચવા ફાંફાં મારી રહ્યા છે જ્યારે ધનિકો પ્રાઈવેટ જેટ અને ચાર્ટર્ડ પ્લેનમાં વિદેશ અથવા તો ભારતમાં જ સલામત સ્થળે ભાગી રહ્યા છે.
દિલ્હી એરપોર્ટના જનરલ એવિએશન ટર્મિનલ પરથી છેલ્લા કેટલાક દિવસથી સરેરાશ 10થી વધારે પ્રાઈવેટ જેટ અને ચાર્ટર્ડ પ્લેન વિદેશ જવા રવાના થાય છે. માર્ચ મહિનાથી જ આ સિલસિલો ચાલી રહ્યો છે. 31 માર્ચે તો એક સાથે 22 પ્રાઈવેટ જેટ અને ચાર્ટર્ડ પ્લેન વિદેશ જવા રવાના થયાં હતાં. વિશ્લેષકોના મતે, દિલ્હીમાં તમામ લોકોમાં ભારે ફફડાટ છે.
ઓક્સિજનની તંગીના કારણે લોકો વધારે ફફડી ગયાં. દિલ્હીની આસપાસના વિસ્તારોની મોટી મોટી હોસ્પિટલોમાં પણ ઓક્સિજનની તંગી સર્જાઈ પછી ધનિકો ફફડી ગયા. લોકડાઉનનમા કારણે ધંધા ઠપ્પ છે ને કોરોના થઈ જશે તો સારવાર સુધ્ધાં નહીં મળે એ વિચારે ધનિકો ભાગી રહ્યા છે.