નવી સંસદ ભવનનું ઉદઘાટન લાઈવ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ભવ્ય સમારોહ વચ્ચે નવી સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન પીએમ મોદીએ નવી બિલ્ડીંગમાં સેંગોલ પણ લગાવ્યું હતું. પીએમ મોદી, લોકસભા સ્પીકર ઓમ બિરલા સહિત ભાજપના તમામ નેતાઓ અને કેન્દ્ર સરકારના મંત્રીઓ, સાંસદો નવા સંસદ ભવન પહોંચ્યા હતા.
બીજી તરફ, કોંગ્રેસ, શિવસેના (UBT), AAP, તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને જનતા દળ (યુનાઇટેડ) સહિત 20 થી વધુ વિપક્ષોએ ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કર્યો છે. નવી સંસદ ભવનનાં ઉદ્ઘાટન પહેલા તેની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સીપી દીપેન્દ્ર પાઠકે જણાવ્યું કે આ વિસ્તારમાં અને તેની આસપાસ 70થી વધુ પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે.
PM નરેન્દ્ર મોદીએ નવા સંસદ ભવનના નિર્માણ અને વિકાસમાં મદદ કરનારા કામદારોનું સન્માન કર્યું હતું.
#WATCH | PM Narendra Modi felicitates the workers who helped in the building and development of the new Parliament House. pic.twitter.com/r6TkOQp4PX
— ANI (@ANI) May 28, 2023
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન લોકસભા સ્પીકર ઓમ બિરલા પણ હાજર હતા.
#WATCH | PM Modi installs the historic 'Sengol' near the Lok Sabha Speaker's chair in the new Parliament building pic.twitter.com/Tx8aOEMpYv
— ANI (@ANI) May 28, 2023
પીએમ મોદી અને લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ નવા સંસદભવનના ઉદ્ઘાટન માટે પૂજાની શરૂઆત કરી. પૂજાનો કાર્યક્રમ લગભગ એક કલાક ચાલશે. પૂજા બાદ પીએમ ‘સેંગોલ’ ગ્રહણ કરશે અને તેને નવી સંસદમાં સ્થાપિત કરશે.
#WATCH PM Modi and Lok Sabha Speaker Om Birla begin pooja for the inauguration of the new Parliament building
The puja ceremony will continue for about an hour. After the puja, the PM will receive the 'Sengol' and install it in the new Parliament. pic.twitter.com/S13eVwZZD3
— ANI (@ANI) May 28, 2023
ચેન્નાઈના 21 ધર્મપુરમ અધિનમ સંતોએ પીએમ મોદીને સેંગોલ સોંપ્યું
ચેન્નાઈના 21 ધર્મપુરમ અધાનમ સંતોએ શનિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સેંગોલ સોંપ્યું. નવી સંસદની લોકસભા ચેમ્બરમાં આજે સવારે 8.30 થી 9 વાગ્યાની વચ્ચે સેંગોલ સ્થાપિત કરવામાં આવશે. સેંગોલ નામ તમિલ શબ્દ ‘સેમાઈ’ પરથી ઉતરી આવ્યું છે, જેનો અર્થ થાય છે સચ્ચાઈ. રાજદંડ સ્વતંત્રતાનું ઐતિહાસિક પ્રતીક છે કારણ કે તે અંગ્રેજો પાસેથી ભારતીયોને સત્તાના હસ્તાંતરણને ચિહ્નિત કરે છે.
વિપક્ષોએ પુનર્વિચાર કરવો જોઈએ, ઉજવણીમાં ભાગ લેવો જોઈએ: કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ
નવા સંસદભવનના ઉદ્ઘાટન સમારોહ પહેલા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, “આપણી સંસદ એ આપણી લોકશાહીનું મંદિર છે. એક સમય એવો હતો જ્યારે રાહુલ ગાંધીએ અમારી સરકાર, અમારા પીએમના વટહુકમને જનતાની સામે ફાડી નાખ્યો અને અમારી લોકશાહીને નબળી પાડી. વિરોધ પક્ષોએ હંમેશા લોકતંત્રને નબળું પાડ્યું છે. હું લોકતાંત્રિક સંસ્થાઓને મજબૂત કરવા માટે પીએમનો આભાર માનું છું. વિપક્ષે તેના નિર્ણય પર પુનર્વિચાર કરવો જોઈએ અને આ (કાર્ય)માં ભાગ લેવો જોઈએ.